કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યા તેઓ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેથી વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન મોદી આવશે ગુજરાત પ્રવાસે
વિકાસના કામોનું કરશે લોકાર્પણ
બોર્ડર ટૂરિઝમને આપશે પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેથી તેમના પ્રવાસને લઈને હાલ રાજ્યમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠાની મુલાકાત લેશે તેવી માહિતી સામે આવી છે.
સાયન્સ સિટીમાં એક્વેરિયમ ખુલ્લુ મુકશે
અમદાવાદમાં PM મોદી સાયન્સ સિટી ખાતે એક્વેરિયમ ખુલ્લુ મુકશે. તે સિવાયા તેઓ ગાંધીનગરમાં રેલ્વે સ્ટેશન હોટલનું પણ લોકાર્પણ કરવાના છે. અને વાવોલ-મહાત્મા મંદિરને જોડતો અંડરપાસ પણ ખુલ્લો મુકવાના છે.
સુઈગામમાં પાકિસ્તાન સરહદની મુલાકાતે
બનાસકાંઠામાં જઈને તેઓ સુઈગામમાં પાકિસ્તાન સરહદની મુલાકાત લેવાના છે. જેમા તેઓ બોર્ડર ટૂરિઝમને લઈને પ્રોત્સાહન આપવાના છે. ઘણા સમય બાદ વડાપ્રધાન બનાંસકાંઠાની મુલાકાતે જવાના છે. જેથી ત્યા હાલ તેમના સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે.
બોર્ડર ટૂરિઝમને પ્રોત્સાહિત કરશે
ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે વિકાસના કામોનું નિર્ક્ષણ કર્યું હતું. નડાબેર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. જોકે હવે વડાપ્રધાન પોતે ત્યા જઈને વિકાસના કામોનું નિરિક્ષણ કરશે. સાથેજ તેઓ બોર્ડર ટૂંરિઝમને પણ ત્યા જઈને પ્રોત્સાહિત કરવાના છે.