લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2019
ગુજરાત ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ
નરેન્દ્ર મોદી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એરપોર્ટ પર ભાજપના દિગ્ગજ નેતાઓ તેમનુ ભવ્ય સ્વાગત કરશે. નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્મારકમાં પુષ્પાજલી અર્પણ કરીને આશીર્વાદ લેશે. ત્યારબાદ તેઓ એરપોર્ટનીથી ડફનાળા અને રિવરફ્રન્ટ થઈને ખાનપુર પહોંચશે. ખાનપુરમાં પીએમ મોદી સભા સંબોધશે.
Will be going to Gujarat tomorrow evening, to seek blessings of my Mother. Day after tomorrow morning, I will be in Kashi to thank the people of this great land for reposing their faith in me.
રાત્રિ રોકાણ રાજભવનમાં
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે જ કરવાના છે. તેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. PMની સભામાં 5 IPS, બે હજાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ચાંપતો પોલીસ બંદોબસ્ત
આપને જણાવી દઇએ કે, અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલ જે. પી. ચોક ખાતે નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરવાના હોવાથી હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા માટે પાંચ ડીસીપી, 14 એસીપી, 23 પીઆઈ, 80 PSI, 1600 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.