આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા માટે ભારત સંકટ મોચક તરીકે ઉભરી આવ્યું છે.
શ્રીલંકા માટે ભારત સંકટ મોચક તરીકે ઉભરી આવ્યું
અત્યાર સુધીમાં 4 વખત મોકલી ચૂક્યું છે પેટ્રોલ
વધુ મદદનું પણ કર્યું એલાન
શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે ભારતે આ વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકાને $250 મિલિયનની નાણાકીય સહાય મોકલી છે. તેમણે કહ્યું કે ભારત શ્રીલંકાની મદદ કરવા તૈયાર છે.
Massive protests have broken out in Sri Lanka to protest food & fuel shortages. People are demanding that President Gotabaya Rajapaksa resign, as the country suffers its worst economic crisis in decades. Take a look.pic.twitter.com/BuHtiRiAfQ
India has responded to urgent requests from Sri Lanka with promptness. Since January this year, support from India to Sri Lanka exceeds US dollars 2.5 billion: India's High Commissioner to Sri Lanka, Gopal Baglay to ANI
તમને જણાવી દઈએ કે શનિવારે જ ભારતે આર્થિક અને ઉર્જા સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતથી 40 હજાર મેટ્રિક ટન ડીઝલનો કન્સાઈનમેન્ટ શ્રીલંકા મોકલ્યો હતો. ભારત તરફથી આ ચોથી સહાય છે. ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે આ ચાર કન્સાઇનમેન્ટમાં 150,000 મેટ્રિક ટનથી વધુ જેટ ફ્યુઅલ, ડીઝલ અને પેટ્રોલ શ્રીલંકામાં પહોંચાડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિના ઘર પર હુમલો કર્યા બાદ લોકડાઉનની જાહેરાત
લોકડાઉન લાગૂ કરવાનો આ આદેશ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે દ્વારા તેમના ઘર પર હુમલા બાદ જાહેર કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર હુમલા બાદ તેમણે ઈમરજન્સી લગાવાના આદેશ આપ્યા હતા. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે, આવું સાર્વજનિક સુરક્ષાવ્યવસ્થાને લઈને કરવામાં આવ્યું છે. હકીકતમાં દેવાળીયા થવાની કગાર પર આવીને ઉભેલા શ્રીલંકામાં શનિવારે અનુરાધાપુર શહેરમાં એક મહિલાના ઘર તરફથી લોકોની ભીડ દોડવા લાગી હતી. કહેવાય છે કે, આ મહિલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને સલાહ આપ્યા કરતી હતી. રાઈટ એક્ટિવિસ્ટ અને પૂર્વ વિપક્ષી સાંસદ હિરુનિકા પ્રેમચંદ્રના નેતૃત્વમાં ડઝનો મહિલાઓેના મંદિર અને આવાસ પર હુમલાઓ કરવામા આવ્યા પણ પોલીસે તેમને રોક્યા નહોતા.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા પડી ભાંગી
કોરોના મહામારીએ પર્યટન પર નિર્ભર એવા શ્રીલંકાની કમર તો પહેલાથી તોડી નાખી છે. આ ઉપરાંત વિદેશોથી આવતા ભંડાર પણ બંધ થઈ ગયા છે. આ બંને દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વના કારણો છે. તો વળી અધિકારીઓએ વિદેશી મુદ્રાને બચાવવા માટે મોટા પાયે આયાત પ્રતિબંધ લગાવી દીધા છે. કેટલાય અર્થશાસ્ત્રીઓનું તો ત્યાં સુધી કહેવુ છે કે, સરકારની કુપ્રબંધન નીતિ, વર્ષોથી લેવાતી ઉધારી અને અયોગ્ય ટેક્સ કાપથી સંકટ વધારે થયું છે. શ્રીલંકામાં કર્ફયુ અને ઈમરજન્સીની જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે સોશિયલ મીડિયા પર રવિવારે વિરોધ પ્રદર્શન માટે લોકો તૈયાર થઈ રહ્યા હતા. એક પોસ્ટમાં તો ત્યાં સુધી કહેવાયુ હતું કે, ટિયર ગેસથી ડરવાનું નથી.
આઉટ ઓફ સર્વિસ થઈ સેવાઓ
રવિવારથી, શ્રીલંકામાં ફેસબુક (FB), ટ્વિટર, વ્હોટ્સએપ (WhatsApp) અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે. કોલંબો સહિત ઘણા શહેરોમાં શનિવારની મોડી રાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ ગયું છે.
કર્ફ્યૂના કારણે ભારેલો અગ્નિ
આ પહેલા શનિવારે શ્રીલંકામાં કર્ફ્યુનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. અહીં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી જાહેર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્ફ્યુ દરમિયાન લોકોને રોડ, પાર્ક, રેલ્વે, બીચ સહિત તમામ જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
લોકોને ખાવાના ફાંફાં
શ્રીલંકાની આર્થિક દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોલંબોમાં 13-13 કલાકના પાવર કટથી પીડિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લોકો પાસે ખાવા-પીવાનું નથી. લોકો હિંસક વિરોધ કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ 1 એપ્રિલથી દેશમાં ઈમરજન્સી લાદી દીધી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયથી જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે.
શ્રીલંકાની કપરી સ્થિતિ પર કેટલાય દેશોએ ચિંતા વ્યક્ત કરી
સામાન્ય દિવસોમાં શ્રીલંકાની સેના ફક્ત પોલીસ માટે સહાયકની ભૂમિકા ભજવી શકે છે. પણ ઈમરજન્સીની સ્થિતિમાં એકલા કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. તેમા નાગરિકોની ધરપકડ કરવાનો અધિકાર પણ સામેલ છે. અમેરિકી રાજદૂત જૂલી ચુંગે ચેતવણી આપી છે કે, શ્રીલંકાઈ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે. આ લોકતાંત્રિક અભિવ્યક્તિ માટે ખાસ જરૂરી છે. બ્રિટેનના દૂતે પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે યુરોપિય સંઘ મિશને કહ્યું કે, આ શ્રીલંકાઈ અધિકારીઓએઅ તમામ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવા આગળ આવવું જોઈએ.