વાયબ્રંટ ગુજરાત 2019ને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામા આવ્યો છે. ત્યારે વાયબ્રંટ સમિટમાં આવનાર VVIP મહેમાનોની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર અલર્ટ થઈ ગયું છે. મહાનુભાવોની સુરક્ષા માટે ચૂસ્ત બોંદોબસ્ત ગોઠવવામા આવ્યુ છે. જેને લઈને એરપોર્ટ પર મેગા રિહસર્લ કરીને સુરક્ષાની સમીક્ષા કરી હતી.
વાયબ્રંટ સમિટને લઈને સુરક્ષાની તૈયારીઓની સાથે જુદા-જુદા દેશોમાથી આવી રહેલા VVIP મહાનુભાવોની સુરક્ષા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યુ છે. એટલુ જ નહીં તમામ VVIP મહેમાનો એરપોર્ટ ઉતરશે ત્યાંથી મહાત્મા મંદિર સુધી તેમની મૂવમેન્ટ પર સીસીટીવી કેમેરાથી નજર રહેશે. જે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની ઓફિસથી તો થશે અને સાથે એરપોર્ટ પર પણ કન્ટ્રોલ રૂમ બનાવ્યુ છે જે મહાનુભાવોને સુવિધા સાતે ટાન્સપોર્ટની સગવડ માટે બનાવાયુ છે.
ગુજરાતને આંગણે યોજાનારી વાયબ્રંટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. સાથે વિવિધ દેશોના મહાનુભાવો હાજર રહેવાના હોવાથી પોલીસ ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થામાં ખામી ન રહે તે માટે ગ્રાન્ડ રિહસર્લ કરીને રૂટની સમીક્ષા કરી હતી. પોલીસના કાફલા સાથે પીએમ અને મહાનુભાવોના કાફલાનુ રિહર્સલ કરવામા આવ્યુ હતુ.
વાયબ્રંટ સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરના લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. સાથે ગાંધીનગરના હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600થી વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે જેથી મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધીની VVIPની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે.