પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો પર 71મી વખત `મન કી બાત' કરશે. જેમાં પીએમ મોદી દેશ અને વિદેશમાં જનતાની સાથે પોતાના વિચાર રજૂ કરશે. આ મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ હશે. શક્ય છે ગઈકાલે 3 કોરોના વેક્સીન કંપનીની મુલાકાત લીધા બાદ આજે પીએમ આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.
પ્રધાનમંત્રી આજે કરશે `મન કી બાત'
71મી વખત કરશે `મન કી બાત'
મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ
માસિક રેડિયો કાર્યક્રમની આ 71મી કડી છે. તેને આકાશવાણી અને દુરદર્શનના નેટવર્કથી પ્રસારિત કરાશે. આ પહેલાં પીએમ મોદીએ 25 ઓક્ટોબરે મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા.
આપને જણાવી દઈએ કે લોકો સવારે 11 વાગે ડીડી ભારતી પર પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનું સાંકેતિક ભાષા સંસ્કરણને જોઈ શકે છે. આ સિવાય મન કી બાતના ક્ષેત્રીય સંસ્કરણોને ઓલ ઈન્ડિયા રેડિયોના સંબંધિત સ્ટેશન દ્વારા પીએમ મોદીના પ્રસારણના બાદ તે જ દિવસે રાતે 8 વાગે ફરીથી પ્રસારિત કરાય છે.