PMO દ્વારા થયેલી જાહેરાતને પગલે અનેક જાતની અટકળો કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયામાં લોકો પેટ્રોલ ડીઝલનાં ભાવ અંગે ચર્ચા કરી રહ્યા છે તો કેટલાક લોકો વેકસીનેશન વિષે ચર્ચા કરી રહ્યા છે. તો આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા-ઘટાડા મુદ્દે પણ પ્રધાનમંત્રી નિવેદન આપી શકે છે.
PM આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે પણ જવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે જવાના છે. જ્યાં બુંદેલખંડમાં અનેક યોજનાઓનું ઉદ્ધાટન કરશે. વીરાંગના રાણી લક્ષ્મીબાઇની 193મી જન્મજયંતી પર PM મોદી ઝાંસી પહોંચશે. PM મોદી ઝાંસીની સાથે મહોબામાં મોટી યોજનાઓની શરૂઆત કરશે. ઝાંસીમાં સૈનિકો માટે યોજનાઓની શરૂઆત કરશે જ્યારે મહોબામાં ખેડૂતોને પાણીની ભેટ આપશે. મહોબામાં તેઓ બંધોને જોડતા અર્જુન સહાયક પ્રોજેક્ટની સાથે રૂપિયા 3263 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરના પ્રથમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં એન્ટી ટેન્ક મિસાઈલ અને લાઈટ હેલિકોપ્ટર બનાવવામાં આવશે.