પશ્ચિમી યુપીમાં પ્રથમ અને બીજા તબક્કાની 16 બેઠકોની ચૂંટણીને નજરમાં રાખતાં પીએમ મોદીનો આ બીજો પ્રવાસ અને ત્રીજી ચૂંટણી સભા છે. યુપીની પક્ષના પ્રવકતા સમીર સિંહે જણાવ્યું કે વડાપ્રધાન મોદી સવારે ગજરૌલામાં આવેલ જનકપુરીના અમરોહલ લોકસભાના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમરોહા અને સહારનપુરમાં ચૂંટણી સભાઓને સંબોધન કરશે. પશ્ચિમી યુપીમાં પ્રથમ અને બીજા તબક્કાની 16 બેઠકોની ચૂંટણીને નજરમાં રાખતાં પીએમ મોદીનો આ બીજો પ્રવાસ અને ત્રીજી ચૂંટણી સભા છે. યુપીની પક્ષના પ્રવકતા સમીર સિંહે જણાવ્યું કે વડાપ્રધાન મોદી સવારે ગજરૌલામાં આવેલ જનકપુરીના અમરોહલ લોકસભાના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધન કરશે.
જ્યારે પીએમ મોદી બપોરે સહારનપુર લોકસભા ક્ષેત્રના પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં શિવાંગી સીટીના નનૌતા ચૌરાહા પર ચૂંટણી રેલીને સંબોધન કરશે. જ્યારે આગામી 11 તારીકે પીએમ મોદી અલીગઢ અને મુરાદાબાદમાં ચૂંટણી જનસભાને સંબોધન કરશે.
આમ લોકસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે પીએમ મોદી અમરોહા અને નનૌતામાં રેલીને સંબોધન કરશે. 28 માર્ચથી વડાપ્રધાન મોદીએ મેરઠમાં જનસભાને સંબોધન કરી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. એક અઠવાડીયાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પશ્ચિમ યુપીમાં સભા કરવાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ કોઇ પ્રકારનું રિસ્ક લેવા ઇચ્છતું નથી.
આ સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ પ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. અમિત શાહ 10 એપ્રિલના રોજ બદાયુ સંસદીય ક્ષેત્ર, એટાના પટિયાલી, મૈનપુરીના કિશની અને ફિરોઝાબાદમાં સભાને સંબોધન કરશે.