દિલ્હી કરિયપ્પા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NCC રેલીનું નિરીક્ષણ કર્યું. જેમા તેઓ અલગ લુકમાં જોવા મળ્યા હતા.
દિલ્હી કરિયપ્પા ગ્રાઉન્ડમાં અલગ લુકમાં જોવા મળ્યા PM મોદી
ઉત્તરાખંડમાં પણ અલગ લુકમાં જોવા મળ્યા હતા
NCC કૈડેટ્સનો પીએમ મોદીએ વધાર્યો જુસ્સો
વડાપ્રધાન મોદી આજે નવી દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય કૈડેટ કોરની રેલીનું નિરીક્ષણ કર્યું. તેમણે ગાર્ડ ઓફ ઓનરનું નિરિક્ષણ કર્યું સાથેજ તેમણે NCCની ટુકડીઓની માર્ચ પાસ્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું. જોકે આ સમયે તેઓ પાઘડીમાં જોવા મળ્યા સાથેજ તેમણે કાળા કલરના ચશ્માં પણ પહેરેલા હતા.
देश के प्रसिद्ध कवि माखनलाल चतुर्वेदी जी ने अपनी एक कविता में कहा है।
भूखंड बिछा, आकाश ओढ़,
नयनोदक ले, मोदक प्रहार,
ब्रह्मांड हथेली पर उछाल,
अपने जीवन-धन को निहार।
ये पंक्तियां सामर्थ्य की पराकाष्ठा का वर्णन करती हैं।
અગાઉ પીએમ મોદીએ ગત બુધવારે 73માં પ્રજાસત્તાક દિવસે બ્રહ્મકમલથી સુલજ્જિત ઉત્તરાખંડની ટોપી અને મણિપુરનું પારંપરિક ગમછા ગેંગ્યાન પહેર્યું હતું. જેના કારણે બધાનું ધ્યાન તેમના પર આકર્ષિત થયું હતું. રાજપથ પર ગણતંત્ર દિવસના સમારોહમાં તેમણે પારંપરિક કુર્તા અને પાયજામો પહેર્યો હતો.
NCC રેલીને આફ્યું સંબોધન
PM મોદીએ આજે NCC રેલીને સંબોધતા કહ્યું કે આ સમયે દેશ આઝાદીનો અમૃત મહોત્વ મનાવી રહ્યો છે. જેથી એક યુવા દેશ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. સાથેજ તેના ઉત્સાહમાં એક અલગજ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આજ ઉત્સાહને હુ કરિયપ્પા ગ્રાઉન્ડમાં જોવા માંગુ છું.
દેશની દિકરીઓ પણ આગળ વધી રહી છે : PM MODI
વધુમાં તેમણે કહ્યું કે મને ગર્વ છે કે ક્યારેક હું પણ એનસીસીનો સક્રિય કૈડેટ રહી ચુક્યો છું. મને એનસીસીમાં જે ટ્રેનીંગ મળી જે શીખવા મળ્યું તેના લીધે આજે મને મારી જવાબદારી સંભાળવાની તાકાત મળી છે. હવે દેશની દિકરીઓ પણ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઈ રહી છે. તેમને મોટી જવાબદારીઓ મળી રહી છે. એરફોર્સંમાં પણ દેશની દિકરીઓ ફાયટર પ્લેન ઉડાવી રહી છે. જેથી અમારો પ્રયાસ રહેશે કે એનસીસીમાં પણ વધુમાં વધું દિકરીઓ શામેલ થાય.
मुझे गर्व है कि मैं भी कभी आपकी तरह ही एनसीसी का सक्रिय कैडेट रहा हूँ।
मुझे एनसीसी में जो ट्रेनिंग मिली, जो जानने सीखने को मिला, आज देश के प्रति अपनी जिम्मेदारियों के निर्वहन में मुझे उससे असीम ताकत मिलती है।
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે જેટલા પણ યુવક યુવતીઓ NCC અને NSSમાં છે. તેમાના મોટા ભાગના આજ સદીમાં પૈદા થયા છે. જેથી તમારા પ્રયત્નો તમારા સંકલ્પ અને તમારા સિદ્ધિ ભારતની સિદ્ધિ રહેશે જે ભારતની સફળતા બનશે.