વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાંતિ, એકતા અને વિકાસ રેલીમાં ભાગ લેવા માટે આસામ પહોંચ્યા. જ્યાં તેઓએ અહીંયા સાત નવી કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, PM મોદી સ્ટેજ પર પહોંચે તે પહેલાં વડાપ્રધાને પોતાના સુરક્ષા પ્રોટોકોલને તોડી ત્યાં હાજર લોકો સાથે અને બાળકો સાથે હાથ મિલાવ્યો હતો. જ્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીએ પ્રોટોકોલ તોડી લોકો સાથે હાથ મિલાવતા કેટલાંકે તેઓનું સાલ ઓઢાડીને પણ સન્માન કર્યું હતું. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, '2014થી ઉત્તર પૂર્વમાં મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે, લોકોનો વિકાસ થઈ રહ્યો છે. આજે જ્યારે કોઈ આસામના આદિવાસી વિસ્તારોમાં આવે છે, ઉત્તર પૂર્વના અન્ય રાજ્યોમાં જાય છે ત્યારે તેને પણ પરિસ્થિતિ બદલાતી જોવાનું ગમે છે.'
Addressing the ‘Peace, Unity and Development Rally’ in Diphu, Assam. https://t.co/l1UfNfgd9c
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 'આ એક સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આપણે પણ આ ધરતીના મહાન સપૂત લચિત બોરફૂકાનની 400મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યાં છીએ. તેમનું જીવન દેશભક્તિ અને રાષ્ટ્રીય શક્તિની પ્રેરણા છે. હું કાર્બી આંગલોંગ તરફથી દેશના આ મહાન વીરને નમન કરું છું.'
डबल इंजन की सरकार, जहां भी हो वहां सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास की भावना से काम करती है।
आज ये संकल्प कार्बी आंगलोंग की इस धरती पर फिर सशक्त हुआ है।
असम की स्थाई शांति और तेज़ विकास के लिए जो समझौता हुआ था, उसको ज़मीन पर उतारने का काम तेज़ी से चल रहा है: PM
આજે આસામમાં પણ 2600થી વધુ અમૃત સરોવર બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે: PM
પીએમ મોદીએ કહ્યું કે, 'ડબલ એન્જિનની સરકાર, જ્યાં પણ હોય ત્યાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' ની ભાવના સાથે કામ કરે છે. કાર્બી આંગલોંગની આ ધરતી પર આજે ડબલ એન્જિન સરકારનો આ સંકલ્પ ફરી મજબૂત બન્યો છે. આસામની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેને પાર પાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે આસામમાં પણ 2600થી વધુ અમૃત સરોવર બનાવવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. તળાવોનું નિર્માણ સંપૂર્ણપણે લોકભાગીદારી પર આધારિત છે. આદિવાસી સમાજમાં આવા તળાવોની સમૃદ્ધ પરંપરા છે. આનાથી ગામડાઓમાં જળસંચય સર્જાશે, તેની સાથે તેઓ આવકનું સાધન પણ બનશે.
અનેક સંગઠન શાંતિ અને વિકાસના સંકલ્પ સાથે જોડાયેલ છે: PM
તેઓએ કહ્યું કે, 'ગત વર્ષે સપ્ટેમ્બરમાં કાર્બી આંગલોંગના અનેક સંગઠન શાંતિ અને વિકાસના સંકલ્પ સાથે જોડાયા હતા. 2020 માં બોડો સમજૂતીએ કાયમી શાંતિ માટે નવા દરવાજા ખોલ્યા. આસામ ઉપરાંત NLFT એ ત્રિપુરામાં પણ શાંતિના માર્ગ પર પગલાં લીધાં. લગભગ અઢી દાયકાથી ચાલી રહેલી બ્રુ-રીયાંગને લગતી સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવ્યું.'