વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદની ચૂંટણી રેલીમાં નેશનલ કોંન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની વકાલતવાળા નિવેદન પર પલટવાર કર્યો છે. જો કે ત્યારબાદ ઉમર અબ્દુલ્લાએ પણ ટવિટ કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમર અબદુલ્લાના નિવેદન પર સોમવારે નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને મહાગઠબંધન પાર્ટીના નેતાઓને જણાવ્યું કે આ નિવેદન પર પોતાનો મત જણાવે. પીએમ મોદી એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું કે મીડિયામાં એવા સમાચાર છે કે અબદુલ્લાએ કહ્યું કે કશ્મીરમાં એક અલગ વડાપ્રધાન હોવો જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો કે ભારત માટે બે વડાપ્રધાન? શું ભારતની જનતા આની સાથે સહમત છે? કોંગ્રેસે જવાબ આપવો પડશે અને મહાગઠબંધનના દરેક સહયોગીઓએ તેનો જવાબ આપવો પડશે. શું કારણ છે અને આમ કહેવાની હિંમત કેવી રીતે આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને એનસીપી પ્રમુખ શરદ પવારને પુછવા માગુ છુ કે તેઓ ઉમર અબ્દુલ્લાના નિવેદન સાથે સહમત છે.
પીએમ મોદીએ કહ્યું કે હું બંગાળ દીદીને પૂછવા માગુ છું કે જે ઘણો શોર મચાવતી હોય છે. શું તમે આ નિવેદનથી સહમત છો? જનતાને જવાબ આપે. તેની સાથે પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુ પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રાબાબુને પુછવા માગુ છે જેમની સાથે હાલમાં જ ફારૂક અબ્દુલ્લાએ આંધ્ર પ્રદેશમાં પ્રચાર કર્યો હતો. શું તમે માનો છો કે ચંદ્રાબાબુને મત મળવા જોઇએ?