દેશ આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદી કોલકાતામાં પરાક્રમ દિવસની ઉજવણી માટે પહોંચ્યા છે.
પરાક્રમ દિવસ નિમિતે કોલકત્તામાં કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી નેતાજી ભવન પહોંચ્યા
PM મોદીએ નેતાજીને આપી શ્રદ્ધાંજલિ
નેતાજીને નમોનું નમન
વિક્ટોરિયા મેમોરિયલમાં પીએમ મોદીએ કહ્યું કે કોલકાતા આવીને ખૂબ ભાવુક અનુભવી રહ્યો છે. બાળપણથી નેતાજીનું નામ સાંભળ્યું છે અને હું કોઈ પણ પરિસ્થિતિમાં રહું, આ નામથી એક નવી ઉર્જા આવી જાય છે.
His bravery and ideals inspire every Indian. His contribution to India is indelible.
India bows to the great Netaji Subhas Chandra Bose.
પીએમ મોદીએ કહ્યું કે નેતાજીની 125મી જયંતી પર રાષ્ટ્ર તરફથી હું નમન કરું છું અને આજે સુભાષ નેતાજીને બનાવનાર બંગાળની આ પુણ્યભૂમિને પણ નમન કરું છું. મેં અનુભવ કર્યો છે કે જે કોઈ પણ આ નામ લે તેનામાં એક નવી ઉર્જા આવી જાય છે. તેમની ઉર્જા, આદર્શ, તપસ્યા અને ત્યાં દેશના દરેક યુવાન માટે પ્રેરણા છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશે નક્કી કર્યું છે કે હવે દર વર્ષે અમે નેતાજીની જન્મ જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ. જ્યારે દેશ આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરવાનો છે ત્યારએ દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને નેતાજીનું જીવન ખૂબ મોટી પ્રેરણા છે.
પોતાના સંબોધનમાં શું શું બોલ્યા PM?
#WATCH | PM Modi says, "From LAC to LOC, the world is witnessing the powerful avatar of India that was once envisioned by Netaji. India today is giving a befitting reply wherever attempts are made to challenge its sovereignty". pic.twitter.com/aSibBh1LyO
#WATCH | Netaji would have been proud to see how India is helping other nations by providing them vaccines: PM Narendra Modi in Kolkata pic.twitter.com/wC0TyGlozg
આ કાર્યક્રમમાં પણ મમતા બેનર્જીનું ગુસ્સો જોવા મળ્યો હતો જ્યાં તેમણે ભાષણ આપવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે જે મમતા બેનર્જી જ્યારે મંચ પર ભાષણ આપવા પહોંચી તો નારાબાજી શરૂ કરી દેવામાં આવી હતી તેમણે કહ્યું કે કોઈનું અપમાન કરવું ઠીક નથી.
કાર્યક્રમમાં બાળકો અને બેન્ડ દ્વારા ખાસ પ્રસ્તુતિ આપવામાં આવી હતી જેમાં પીએમ મોદી પણ ઝૂમી ઉઠયા હતા
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી પર પશ્ચિમ બંગાળમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે પીએમ મોદી કેન્દ્ર સરકારના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા છે. બીજી તરફ મમતા બેનર્જીએ આજે દેશનાયક દિવસ ઉજવ્યો છે ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું જેમાં મમતાએ 9 કિમી લાંબો રોડ શો કર્યો હતો.
કોલકાતા પહોંચ્યા બાદ પીએમ મોદી સૌથી પહેલા નેતાજી ભવન પહોંચ્યા હતા જ્યાં તેઓ 15 મિનિટ રહ્યા અને તે બાદ તેઓ નેશનલ લાઇબ્રેરી પહોંચ્યા હતા. PM મોદી વિક્ટોરિયા મેમોરિયલ પણ પહોંચ્યા જ્યાં તેમણે સમીક્ષા કરી અને તેમની સાથે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાજપ નેતા ચંદ્ર બોઝ, કૈલાશ વિજયવર્ગીય અને સ્વપ્ન દાસ ગુપ્તા પણ પહોંચ્યા જતાં જ્યાં તેમણે પીએમ મોદીનું સ્વાગત કર્યું.
કોલકાતા પહોંચ્યા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે કોલકાતા પહોંચી રહ્યો છે જ્યાં પરાક્રમ દિવસના કાર્યક્રમ સામેલ થઈશ અને નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશ.