વલસાડઃ આગામી 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.
આ માટે વિશેષ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર SP મંત્રી ગણપત વસાવા સહિતના અધકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ સહિતના ભાજપના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
આગામી કાર્યક્રમની તૈયારીઓને લઈને ચર્ચા વિચારણા કરાઈ. પ્રધાનમંત્રી મોદી આગામી 23મીએ 600 કરોજની અસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિ પુજન કરવાના છે. ત્યારે તંત્ર પણ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે.
શું છે સમગ્ર કાર્યક્રમ?
23મી ઓગસ્ટે PM મોદી સવારે 9.30 વાગે સુરત એરપોર્ટ પર પહોંચશે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. વલસાડમાં તેઓ બાર વાગ્યા સુધી કાર્યક્રમમાં રોકાશે. વલસાડમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી જૂનાગઢ જવા રવાના થશે.
બપોરે 2 વાગ્યાની આસપાસ PM મોદી જૂનાગઢ પહોંચશે. જૂનાગઢમાં કાર્યક્રમ પૂર્ણ કરીને 3 વાગે ગાંધીનગર જવા રવાના થશે અને FSLના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. FSLની બેઠક પૂર્ણ થયા બાદ PM મોદી બેઠક કરશે અને રાતે 8.30 વાગે દિલ્હી જવા માટે રવાના થશે.