આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ જૂનાગઢ અને સોનગઢમાં જનસભાને સંબોધન કરશે. સવારે 9 વાગ્યે તેઓ જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. તેઓ જૂનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે.
રાજકોટ: આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ જૂનાગઢ અને સોનગઢમાં જનસભાને સંબોધન કરશે. સવારે 9 વાગ્યે તેઓ જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. તેઓ જૂનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે. બપોરે 12 વાગે તેઓ સોનગઢમાં બારડોલી અને નવસારી લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે.
આપને જણાવી દઇએ કે, લોકસભા-2019ની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહયા છે. જેમના પ્રવાસને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. જૂનાગઢ અને પોરબંદર લોકસભાની બેઠકને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે.
વડાપ્રધાનના ગુજરાત આગમનને લઇને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ગ્રાઉન્ડમાં પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો છે. આજરોજ વિશાળ જનમેદનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને ગજવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીને લઈ મતદાન યોજાવાનું છે, ત્યારે ગુજરાતના મતદારોને રીઝવવા ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો કેટલા ઉણા ઉતરે છે એ જોવું રહ્યું.
PM મોદીની ગુજરાત મુલાકાતના અગત્યના મુદ્દા
જૂનાગઢ જતા પહેલા મોદી રાજકોટમાં કરશે ટૂંકું રોકાણ
રાજકોટમાં મહત્વના નેતાઓ સાથે કરશે ચર્ચા
રાજકોટમાં બેઠક બાદ પ્રધાનમંત્રી જૂનાગઢમાં સભાને સંબોધિત કરશે
સૌરાષ્ટ્રમા કોંગ્રેસનુ જોવા મળી રહ્યું છે પ્રભુત્વ
જૂનાગઢ, પોરબંદર અને અમરેલી સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ
પાક વીમા મામલે વિરોધના વંટોળ વચ્ચે પ્રધાનમંત્રીનો જૂનાગઢ પ્રવાસ