પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અમદાવાદની UN મહેતા હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે. સાથે જ તેઓ પ્રવાસ દરમિયાન વડોદરામાં ઈનોગ્રેશન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ દરમિયાન મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે.
PM મોદી ગુજરાતના પ્રવાસે
21 માર્ચે વડોદરા આવશે
કાર્યક્રમને પગલે બેઠકનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 21 માર્ચે વડોદરાના પ્રવાસે આવશે. વડોદરામાં કલ્યાણકારી યોજનાનું લોકાર્પણ કરશે તેમજ બીએસ-6 ઓઈલ ઉત્પાદનની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરામાં નવલખી મેદાનમાં સભા યોજાશે. જેને લઈને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી છે.
મોદીના કાર્યક્રમનું 100 સ્થળોએ જીવંત પ્રસારણ થશે
બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.આર. પટેલે કર્યુ હતું. કાર્યક્રમ પૂર્વે રમતગમત અને પ્રાથમિક શિક્ષણ અને શિક્ષણ વિભાગ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમને 100 સ્થળો પર લાઇવ નિહાળી શકાશે તે માટે એનઆઇસી દ્વારા ઇન્ટરનેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.
પીએમ મોદીના હસ્તે થશે લોકાર્પણ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-ગુજરાત રિફાઇનરી દ્વારા વધુ સંવર્ધિત અને પર્યાવરણ મિત્ર પરિશુદ્ધ બળતણ બીએસ-6 ઓઈલ ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવી છે. જાહેરક્ષેત્રની HPCL કંપની દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન માટે નવી પાઇપ લાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ માટે 21 માર્ચે પીએમ મોદી વડોદરા આવશે. જ્યાં નવલખી મેદાન ખાતે મોદી હાજરી આપશે.