ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને અભિનંદન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા.
લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ
નમંત્રી નરેન્દ્ર મોદી એમને અભિનંદન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે અને તેઓ આજે 95 વર્ષના થઈ ગયા છે. આ ખાસ મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને અભિનંદન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને એ સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પંહોચીને અભિનંદન પાઠવ્યા છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi visited the residence of veteran BJP leader LK Advani to greet him on his birthday.
બંને નેતાઓની અડવાણીને મળીને એમને શુભેચ્છાઓ પાઠવતી અમુક તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે પીએમ મોદી ઘણા ઉત્સાહથી લાલકૃષ્ણ અડવાણીને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદીએ તેમને ફૂલોનો ગુલદસ્તો પણ આપ્યો હતો. આ પછી બંને બેસીને વાતચીત કરી રહ્યા છે એવું પણ જોવા મળી રહ્યું છે.
Delhi | Prime Minister Narendra Modi visits the residence of senior BJP leader LK Advani to greet him on his birthday. pic.twitter.com/c6R7tFo4kU
કોણ છે લાલકૃષ્ણ અડવાણી
જણાવી દઈએ કે લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચીમાં થયો હતો અને તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક છે. આ સાથે જ અડવાણી દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન પણ રહી ચુક્યા છે. ઉપરાંત ઘણી વખત તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. લાલકૃષ્ણ અડવાણીને ક્યારેક પાર્ટીના કર્ણધાર તો ક્યારેક લોખંડી પુરૂષ અને ક્યારેક પાર્ટીનો અસલી ચહેરો પણ કહેવામાં આવતા હતા.
અમિત શાહે ટ્વિટ કરીને આપી શુભેચ્છા
આ ખાસ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને લાલ કૃષ્ણ અડવાણીને અભિનંદન પાઠવ્યા છે. એમને લખ્યું કે આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અડવાણીજીએ એમના સતત પરિશ્રમથી એક તરફ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવ્યું અને બીજી તરફ સરકારમાં રહીને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું. ઈશ્વર પાસે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.