વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે દરભંગા ખાતે નવા એઇમ્સ સ્થાપવાની મંજૂરી આપી છે. તે બિહારના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મદદ કરશે એમ પીએમ મોદીએ જણાવ્યું હતું
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આપી મંજૂરી
બિહારના દરભંગામાં એઈમ્સ અને ઉત્તર બિહારમાં એક એરપોર્ટને મંજૂરી
561 કરોડના રેલ પ્રોજેક્ટને પણ આર્થિક સમિતિએ આપી મંજૂરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળને મંજૂરી આપ્યા બાદ કહ્યું બિહારના દરભંગા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ની સ્થાપના રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત બનાવશે અને "સ્વસ્થ ભારત" ના સંકલ્પને વેગ આપશે.
दरभंगा में एम्स के निर्माण से जहां बिहार के हेल्थ इंफ्रास्ट्रक्चर को मजबूती मिलेगी, वहीं स्वस्थ भारत के संकल्प को भी नया बल मिलेगा। इससे न केवल हेल्थकेयर प्रोफेशनल्स को ट्रेनिंग मिलेगी, बल्कि आसपास के लोगों को रोजगार भी प्राप्त होगा।https://t.co/kPP5WFJpil
એક ટ્વિટમાં મોદીએ કહ્યું કે નવું એઈમ્સ આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને તાલીમ આપશે એટલું જ નહીં પરંતુ આ ક્ષેત્રના લોકોને રોજગારી પણ આપશે.
પલવાલથી સોનીપત સુધીના નિર્ણાયક હરિયાણા ઓર્બીટલ રેલ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણ માટે કેબિનેટની મંજૂરી અંગે ટિપ્પણી કરતાં, તેમણે કહ્યું કે, રાજ્યના લોકો માટે તે એક મોટી ખુશખબર છે.
બિહારને મળ્યા નવા પ્રોજેક્ટસ
આનાથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ટ્રાફિકની સુવિધા મળશે અને મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ સેન્ટરોના વિકાસમાં મદદ મળશે, એમ તેમણે જણાવ્યું હતું.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઇએ) એ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જે અંદાજે 5,6૧, કરોડ રૂપિયાના ખર્ચ અને પાંચ વર્ષના સંભવિત સમાપ્તિ સમય સાથે પૂર્ણ થશે.
એક એમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એઈમ્સ દરભંગા વડા પ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રૂ. 1,264 કરોડના ખર્ચે આવશે.
નવું એઈમ્સ કેન્દ્ર દ્વારા મંજૂરીની તારીખથી 48 મહિનાની અવધિમાં પૂર્ણ થવાની સંભાવના છે.