લોકસભા ચૂંટણીમાં વિજયી રથ પર સવાર થઇ બીજી વખત પૂર્ણ બહૂમતિવાળી સરકાર બનાવા જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીની વારાણસીની આ પ્રથમ મુલાકાત છે.
લોકસભા ચૂંટણીમાં વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારણસીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં PM મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા..સૌપ્રથમ PM મોદીએ કાશી વિશ્વનાથ મહાદેવની આરાધના કરી અને ત્યાર બાદ PM મોદીએ પૂજા અર્ચના કરી. PM મોદીએ ભોળેનાથને જળાભિષેક કર્યો અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી. બાદમાં મંદિરમાં રહેલા પૂજારીઓના આશીષ મેળવ્યા. એમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ પહેલી વખત પીએમ મોદી પહોંચ્યા છે. એના સ્વાગતમાં આખું બનારસ સજેલું છે. પ્રધાનમંત્રી મોદીના સ્વાગતમાં ઘણા કેન્દ્રીય મંત્રી, યૂપી સીએમ યોગી આદિત્યનાથી ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હાજર છે.
Prime Minister Narendra Modi arrives in Varanasi. He will offer prayers at the Kashi Vishwanath temple today and hold a meeting with party workers later today. pic.twitter.com/35oirBCFOa
લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાત લેશે. લોકસભાની ચૂંટણીમાં જીત બદલ તેઓ લોકોનો આભાર વ્યક્ત કરશે. પીએમ મોદી અહી કાશી વિશ્વનાથના દર્શન કરી જનતા સાથે સંવાદ કરશે. કાશી વિશ્વનાથ કોરિડોર અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. મહત્વનું છે કે, વારાણસી બેઠક પર ભાજપ સતત છ વખત લોકસભા જીતતું આવ્યુ છે. 2014માં નરેન્દ્ર મોદીનો વારાણસી બેઠક વિજય થયો હતો. ફરીથી 2019 માં નરેન્દ્ર મોદી ફરીથી વિજય બન્યા હતા.