ગુજરાતમાં હાલ પેટાચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી સવારે 10 કલાકની આસપાસ અમદાવાદ આવી પહોંચશે. જો કે ત્યારબાદ પીએમ મોદી સીધી ગાંધીનગર પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના નિવાસ સ્થાને જશે.
PM મોદી આજથી ગુજરાતના પ્રવાસે
પૂર્વ CM કેશુભાઇ પટેલને શ્રદ્વાંજલિ પાઠવશે
બપોરે 3.00 વાગ્યે PM કેવડિયા કોલોની જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સૌ પ્રથમ અમદાવાદ એરપોર્ટ પરથી સીધી ગાંધીનગર પૂર્વ સીએમ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને જશે. જ્યાં પીએમ મોદી તેમના પરિવારને મળીને સાંત્વના પાઠવશે.
પીએમ મોદી બપોરે 3 કલાકની આસપાસ કેવડિયા કોલોની પહોંચશે. જ્યાં પીએમ મોદી જંગલ સફારી, ફેરી બોટ ક્રુઝનું ઉધ્ધાટન કરશે. ભારતભવન, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્કનું ઉધ્ધાટન પણ કરશે. આ સાથે પીએમ મોદી કેવિડાય ખાતે રાત્રિ રોકાણ કરશે.
પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે
પીએમ મોદી 31મી ઓક્ટબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેશે. સરદાર પટેલની ચરણપૂજા કરશે. સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે. સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે. પીએમ મોદી કેવડિયા ખાતે સી-પ્લેનનું ઉધ્ધાટન કરશે.
રાજ્યમાં 3 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેની અસર પેટાચૂંટણી પર પણ જોવા મળી શકે છે.
મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળી શકે
રાજ્યમાં પેટાચૂંટણીના મતદાનમાં પીએમ મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળે અને ભાજપને 8 બેઠકો પર ફાયદો જોવા મળે તેવું વિશ્લેષકોનું માનવું છે. જો કે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર પટેલ જયંતી ઉજવશે. રાજ્યમાં પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.