પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે 22 સપ્ટેમ્બરે અમેરિકા મુલાકાત માટે રવાના થશે. આ પ્રવાસ ભારત માટે ખૂબ અગત્યનો સાબિત થવાનો છે જાણો સમગ્ર માહિતી.
અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કેટલાક મહત્વના કામો કરવાના છે જેમાં કેટલીક મુલાકાતો અને ક્વાડ સંમેલન તથા સંયુક્ત રાષ્ટ્રમાં સમબોધન જેવી બાબતોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે 22 સપ્ટેમ્બરે અમેરિકા મુલાકાત માટે રવાના થશે. આ પ્રવાસ ભારત માટે ખૂબ અગત્યનો સાબિત થવાનો છે કારણ કે કોરોના પછી આ પહેલી વાર PM મોદી અમેરિકાની મુલાકાત લઈને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડનને મળશે. અહીં જાણી લો કે ક્યાં રોકાવાના છે પ્રધાનમંત્રી મોદી.
આ પ્રવાસનું મહત્વ
આ સિવાય તેઓ ક્વાડ સંમેલનમાં પણ ભાગ લેશે જેમાં અમેરિકા,જાપાન,ઓસ્ટ્રેલીયાના રાષ્ટ્રપ્રમુખો પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ એટલા માટે પણ ખાસ છે કેમ કે તેમના આ પ્રવાસનો અંત સંયુક્ત રાષ્ટ્રમાં એક સંબોધન સાથે થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યુયોર્ક પેલેસ હોટેલમાં રોકાશે. વોશિંગ્ટન પહોંચ્યા બાદ તેઓ વિલ્લાર્ડ ઇન્ટરકોંટિનેંટલ હોટલમાં રોકાવાના છે. જે વ્હાઇટ હાઉસથી માત્ર 400 મિટર જેટલા જ અંતરે આવેલી છે.
વડાપ્રધાનની અમેરિકા મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ આ મુજબ છે:
- ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનને મળશે.
- અમેરિકન કંપનીઓના ચાર ઉદ્યોગપતિઓ અને CEO ને મળશે.
- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીત કરશે.
24 સપ્ટેમ્બર
- પીએમ મોદી રાત્રે 8 વાગ્યાની આસપાસ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને મળશે.
- QUAD કોન્ફરન્સ બપોરે 12 વાગ્યાની આસપાસ શરૂ થશે. પીએમ મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ આ બેઠકમાં હાજરી આપશે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ તે જ દિવસે શક્ય છે.
- પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં યોજાનાર ડિનરમાં હાજરી આપશે.
- યુએનજીએમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જવા રવાના થશે.
25 સપ્ટેમ્બર
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને ન્યૂયોર્કમાં સાંજે 7.30 વાગ્યે સંબોધશે.
આ પછી પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થશે.
આ પ્રવાસને ચીનની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે અમેરિકામાં ક્વાડ કોન્ફરન્સમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન તેમજ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પ્રવૃતિઓ પર ચર્ચા કરશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં ઇન્ડો-પેસિફિક પ્રદેશને સ્વતંત્ર બનાવવા માટે આગળનો માર્ગ નક્કી કરી શકાય એવી સંભાવના છે. ચીન માટે પણ આ ચિંતાનો વિષય છે. જો કે, વૈશ્વિક સ્તરે આ બેઠકને અનિચ્છનીય ગણાવીને ચીને કહ્યું છે કે 'જૂથવાદ' કામ કરશે નહીં અને ક્વાડનું કોઈ ભવિષ્ય નથી.
નવેમ્બર 2017 માં, ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મહત્ત્વના દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવા માટે નવી વ્યૂહરચના વિકસાવવા માટે ક્વાડની રચના માટેના પડતર પ્રસ્તાવને આકાર આપ્યો. માર્ચમાં, રાષ્ટ્રપતિ બિડેને ક્વાડ સમિટનું ડિજિટલી આયોજન કર્યું હતું. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે ક્વાડનું શિખર સંમેલન યોજાશે.