ચક્રવાત ફેણીએ ઓડિસાના પુરીમાં સૌથી વધુ તબાહી મચાવી છે. ચક્રવાત ફેણી ત્રાટકતા 39 લોકોનાં મોત પણ થયા છે. ત્યારે ઓડિસાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદી આજે ઓડિસાની મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી પટનાયકે તેમનું સ્વાગત કર્યું.
આ સિવાય રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ પણ કરશે. શુક્રવારે ઓડિશામાં આવેલ વાવાઝોડામાં રાજ્યને મોટું નુકસાન થયું છે. આ વાવાઝોડાથી ઓડિશાના 11 જિલ્લાના 14,835 ગામડાના લગભગ 1.08 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
પીએમ મોદી ઓડિસાની મુલાકાતે છે ત્યારે સીએમ નવીન પટનાયક, રાજ્યપાલ અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરીને બેઠક યોજશે. આ સિવાય રાહત અને પુનર્વસન સહિતની પણ માહિતી મેળવશે.
PM Narendra Modi arrives in Bhubaneswar, received by Governor Ganeshi Lal, CM Naveen Patnaik and Union Minister Dharmendra Pradhan. PM would be visiting the #Cyclonefani affected areas in the state pic.twitter.com/nHZHeWVLPB
ઉલ્લેખનીય છે કે, ચક્રવાત ફેણીએ પુરીમાં સૌથી વધુ તબાહી મચાવી છે. ચક્રવાત ફેણી ત્રાટકતા 39 જેટલાં લોકોનાં મોત થયા છે. તો રાજ્યમાં 1 કરોડ જેટલા લોકો ચક્રવાત ફેણીથી અસર ગ્રસ્ત થયા છે.
બીજી તરફ, અસરગ્રસ્તો માટે નવીન પટનાયકે રાજ્યમાં પંદર દિવસ માટે નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા કરી છે. ઠેર ઠેર કુલ 5 હજાર જેટલા રસોઈઘર પણ ઉભા કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ પોતાના ઓડિસા મુલાકાની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, સોમવારે સવારે ઓડિસામાં રહીશ. ત્યાં હું વાવાઝોડા ફેણી બાદની સ્થિતિની સમીક્ષા અને ટોપ અધિકારીઓ સાથે મીટિંગ કરીશ. કેન્દ્ર રાહત અને પુનર્વસન પગલાંમાં તમામ સંભવ સહાયતા ઉપલબ્ધ કરવવા માટે પ્રતિબદ્ધ છે.
Will be in Odisha tomorrow morning, where I will review the situation due to Cyclone Fani and hold meetings with top officials. The Centre is committed to provide all possible assistance in relief and rehabilitation measures underway.
— Chowkidar Narendra Modi (@narendramodi) May 5, 2019