પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતને લઇને ગઇકાલે કોલકાતા પહોંચ્યા હતા. આજરોજ સ્વામી વિવેકાનંદ જયંતિ છે, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવામાં આવે છે. ત્યારે આ અવસર પર પીએમ મોદી કોલકાતામાં હુગલી નદી કિનારે આવેલ રામકૃષ્ણ મિશનના મુખ્યાલય બેલુર મઠ પહોંચ્યાં છે. પીએમ મોદીએ રાત મઠમાં પસાર કરી હતી.
પીએમ મોદી આજરોજ સવારે રામકૃષ્ણ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે પૂર્જા-અર્ચના કરી. ઉલ્લેખનીય છે કે આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. પીએમ મોદી આ અગાઉ પણ રામકૃષ્ણ મઠ અગાઉ પણ આવી ચૂક્યાં છે. આ અગાઉ પીએમ મોદીએ બેલૂર મઠના સાધુ-સંતો સાથે સમય પસાર કર્યો હતો. જેનો ફોટો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો હતો.