પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં પીએમ મોદીએ કેશુબાપાના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. જો કે ત્યારબાદ તેઓ મહશે-નરેશ કનોડિયાના ઘરે પહોંચ્યાં હતા અને ત્યાં પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.
મહેશ-નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના આપી
મહેશ-નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેશુબાપાના પરિવારજનોને મળ્યાં બાદ મહશે-નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જો કે પીએમ મોદીની મુલાકાતને લઇને હિતુ કનોડિયાએ કહ્યું કે અમારા પરિવાર માટે ગર્વની વાત છે.
જો કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઇને હિતુ કનોડિયાએ કહ્યું કે પીએમએ અમારા ઘરે આવી પરિવારને સાંત્વના પાઠવી. આ સાથે કહ્યું કે મહેશ અને નરેશ કનોડિયા અમર થઇ ગયા. આમ આ દુઃખભર્યા સમયમાં પીએમએ અમારા ઘરે આવી હિંમત આપી દુઃખમાં સહભાગી બન્યાં.