PM મોદી આજે કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે, આજે કેવડિયા માટે 6 રાજ્યની 8 ટ્રેનની સેવા શરૂ થશે. કેવડિયાને 6 રાજ્યની રેલવે કનેક્ટિવિટી સાથે જોડાશે. PM મોદી ડિજીટલ માધ્યમથી લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેવડિયામાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને CM વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. અમદાવાદ, દિલ્હી, ચેન્નઇ, વારાણસી, દાદર, રેવા, પ્રતાપનગરથી રેલ સેવા શરૂ થશે. કેવડિયાથી બે મેમુ ટ્રેન સેવાનો આજથી પ્રારંભ થશે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.
Prime Minister Narendra Modi will flag off eight trains connecting different regions of the country to Kevadiya, Gujarat on 17th January, at 11 AM, via video conferencing. Kevadiya station is India's first railway station with a Green Building Certification: PMO pic.twitter.com/mpJchxK7fG