લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુને વધુ ધારદાર બની રહ્યું છે. આજે મોડી સાંજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધઆન રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે, રાજીવ ગાંધી INS વિરાટમાં પોતાના પરિવારજનો સાથે રજાઓ મનાવવા ગયા હતા. વડાપ્રધાન મોદીએ સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા.
Gandhi family used INS Virat as personal taxi during vacation: Modi
ત્યારે ગાંધી પરિવાર યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ અંગત ટેક્સીના સ્વરૂપે કરતા હતા. વધુમાં PM મોદીએ કહ્યું કે, ગાંધી પરિવારે રજાઓ માણવા માટે યુદ્ધ જહાજનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું હતું.
Gandhi family used INS Virat as personal taxi during vacation: Modi
PM મોદીએ કહ્યું કે, INS વિરાટનો ઉપયોગ અંગત ટેક્સીની જેમ કરીને તેનું અપમાન કરવામાં આવેલ. આ ત્યારે બન્યું જ્યારે રાજીવ ગાંધી અને તેમનો પરિવાર 10 દિવસ માટે રજાઓ માણવા માટે ગયો હતો. INS વિરાટને આપણી સમુદ્રી સીમામાં રક્ષા માટે ગોઠવવામાં આવ્યું હતું.