અમેરિકી ખુફિયા એજન્સી CIAનાં પ્રમુખે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના વિચારોની રશિયા પર મોટી અસર થઇ છે. યુક્રેન યુદ્ધ પર તેમના વિચારોથી પ્રભાવિત થઇને રશિયાએ અત્યાર સુધી પરમાણુ હથિયારોનો ઉપયોગ નથી કર્યો. તેના લીધે સમગ્ર દુનિયા વૈશ્નિક તબાહીથી બચી છે.
બર્ન્સે કહ્યું કે મોદીનાં વિચારોની અસર રશિયા પર પડી છે
ધમકીઓ માત્ર ડરાવવાનું કામ કરે છે-બર્ન્સે
વોશિંગ્ટન: અમેરિકાની ખુફિયા એજન્સી સીઆઇએનાં ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે પરમાણું હથિયારોનાં ઉપયોગ પર પ્રધાનમંત્રી મોદીનાં વિચારોની અસર રશિયા પર પડી છે. તેના કારણે યુક્રેન યુદ્ધ દરમિયાન એક વૈશ્વિક આપદાને ટાળી શકાયું છે.
વિલિયમ બર્ન્સે પીએમ મોદીનાં કર્યાં વખાણ
એક ઇન્ટરવ્યૂહમાં વિલિયમ બર્ન્સે કહ્યું કે મને લાગે છે કે આ ઘણું ઉપયોગી રહ્યું છે તે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગે પરમાણુ હથિયારોનાં ઉપયોગ બાબતે પોતાની ચિંતા દર્શાવી હતી. મને લાગે છે કે તેનો પ્રભાવ રશિયા પર પડી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે ધમકીઓ માત્ર ડરાવવાનું કામ કરે છે. આજે આપણે યૂક્રેન વિરૂદ્ધ ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપનનાં ઉપયોગની યોજનાનો કોઇ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી.
યુક્રેન યુદ્ધને લાંબુ ચલાવવા માંગે છે પુતિન
સીઆઇએ પ્રમુખનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિને 3 ડિસેમ્બરનાં સ્વીકાર્યું હતું કે આ સંઘર્ષને હજી થોડો સમય લાગવાનો છે. ક્રેમલિનમાં રશિયા માનવાધિકાર પરિષદની બેઠકમાં પુતિને કહ્યું કે રશિયા તમામ ઉપલબ્ધ સંસાધનોની સાથે લડશે. તેમણે એ પણ કહ્યું કે તે રશિયાને પરમાણુ શસ્ત્રાગારને ઊકસાવવાની જગ્યાએ ઉપાય માને છે.
પરમાણુ યુદ્ધ પર પહેલા જ ધમકી આપી ચૂક્યાં છે પુતિન
પુતિને છેલ્લા કેટલાક દિવસો પહેલાં જ ધમકી આપી હતી કે રશિયા પર પરમાણુ હુમલો કરવાવાળા દેશનું અસ્તિત્વ ભૂંસી દેવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે હવે રશિયા પણ પોતાના દુશ્મનો પર પહેલા હુમલો કરવાનારી અમેરિકી નીતિને અપનાવી શકે છે. આ માત્ર નાગરિકોની સુરક્ષા માટે કરવામાં આવશે. પુતિને એ પણ એલાન કર્યું છે કે રશિયા કોઇ પણ પરિસ્થિતિમાં પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે.