PM મોદી યુપી વિઘાનસભાની ચૂંટણી પહેલા 10 દિવસમાં બીજી વાર વારાણસીમાં પહોંચ્યાં છે. આ દરમિયાન તેઓએ યુપીની જનતા માટે 2100 કરોડની 27 પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું.
PM મોદીએ યુપીની જનતા 2100 કરોડની 27 પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું.
આપણા માટે ગાય એ માતા છે પૂજનીય છે - PM મોદી
સરકાર માત્ર કોરોનાની જ નહી પરંતુ પશુધન બચાવવા માટે પણ રસી આપે છે
યુપી વિઘાનસભાની ચૂંટણી પહેલા PM મોદી 10 દિવસમાં બીજી વાર વારણસિંહમાં પહોંચ્યાં છે.આ દરમિયાન તેઓએ યુપીની જનતા માટે લગભગ 2100 કરોડની 27 પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આપણા દ્વારા ગાયની વાત કરવી,ગોબર ધનની વાત કરવી એ કેટલાક લોકો માટે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે,જાણે આપણે ગુનો કરી રહ્યાં છીએ. ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે. પરંતુ આપણા માટે ગાય એ માતા છે.તે આદરણીય છે. પૂજનીય છે
બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરાયો
આ પ્રસંગે પીએમ મોદી દ્બારાનાસ ડેરીથી જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કોરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.રામનગરના દૂધના પ્લાન્ટ ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે યુપી આજે લાખો લોકોને પોતાના ઘરેના દસ્તાવેજ સોપશે
સરકાર માત્ર કોરોનાની જ નહી પરંતુ પશુધન બચાવવા માટે પણ રસી આપે છે
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, અમારી સરકાર માત્ર કોરોનાની વેક્સિન જ નહી પરંતુ પશુધન બચાવવા માટે અને રસીઓ મફતમાં આપી રહી છે. આ જ પ્રયાસોના કારણે 6 -7 વર્ષની તુલાનામાં દેશમાં હાલ દૂધનું ઉત્પાદન 45 ટકા વધ્યું છે. આજે ભારત સમગ્ર દુનિયામાં 22 ટકા દૂધનું ઉત્પાદન કરે છે.
You all know what their dictionary, body language, & thoughts have ~ 'mafiawaad', 'pariwarwaad', illegal property occupancy. They have problems with the Purvanchal development & even the Kashi Vishwanath Dham. But we keep gaining blessings, as their anger touches the sky: PM Modi pic.twitter.com/tyLuZm0ApL
પીએ મોદીએ કહ્યું કે, જે લોકોએ યુપીની રાજનીતિને જાતી, પંથ અને ધર્મના ચશ્મા હેઠળ દેખે છે. તે લોકો ક્યારે યુપીનો વિકાસ નહી ઈચ્છે સૌનો સાથ અને સૌનો વિકાસની પરિભાષા તેમના સિલેબસની બહાર છે. તેમના માટે માફિયાવાદ ,પરિવારવાદ અને ઘરો અને જમીનો પર ગેર કાયદેસર રીતે કબ્જો જ મહત્વનો છે.