પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મોદીએ જનતાને સંબોધિત કરી.
પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ મંદિરનું લોકાર્પણ કર્યું
લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ જનતાને સંબોધિત કરી
મોદીએ કહ્યું કે કાશી તો અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે જેના હાથમાં ડમરુ છે
પ્રધાનમંત્રી મોદીએ દેશને કાશી વિશ્વનાથ મંદિરને ભેટ ધરીને જનતાને સંબોધિત કરી. આ પ્રસંગે બોલતા પીએમ મોદીએ કહ્યું કે બાબા વિશ્વનાથ, માતા અન્નપૂર્ણાના ચરણોમાં શીશ નવાવતઆજે હું કાળભૈરવના આશીર્વાદ લઈને આવ્યો છું. મોદીએ કહ્યું કે કાશીવાસીઓના સહકારથી આ શુભ ઘડી આવી છે.
જગતગુરુ શંકરાચાર્યને ડોમ રાજાની પવિત્રતાથી પ્રેરણા મળી
મોદીએ કહ્યું કે બનારસ એ શહેર છે જ્યાંથી જગતગુરુ શંકરાચાર્યને ડોમ રાજાની પવિત્રતાથી પ્રેરણા મળી. તેમણે દેશને એકતાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ કર્યો. આ એ જગ્યા છે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ જેવી અલૌકિક રચના કરી હતી. છત્રપિત શિવાજી, રાણી લક્ષ્મીબાઈથી માંડીને ચંદ્રશેખર આઝાદ સુધી કેટલા સેનાપતિઓએની કર્મભૂમિ કાશી રહી છે. ઔરંગઝેબ જેવા આવે તો શિવાજી પણ સામે ઊભા રહી જાય છે
મોદીએ કહ્યું કે અહીં જો ઔરંગઝેબ આવે તો શિવાજી ઊભા થઈ જાય છે. જો અહીં કોઈ સાલાર મસૂદ આગળ વધે તો રાજા સુહેલદેવ જેવા વીર યોદ્ધા તેને આપણી એકતાની તાકાતનો અહેસાસ કરાવી દે છે. મોદીએ કહ્યું કે વોરેન હેસ્ટિંગના શું હાલ કર્યું હતા કાશીના લોકોએ, આ વાત કાશીના લોકો જાણે છે. કાશીમાં એક જ સરકાર છે જેના હાથમાં ડમરુ છે-મોદી
પીએમ મોદીએ કહ્યું કે અહીં તો એક જ સરકાર છે અને તે શંકરની. તેમની મરજી વગર પાંદડુ પણ ફરકતું નથી.
પહેલા મંદિર ક્ષેત્ર ફક્ત ત્રણ હજાર ચોરસ ફૂટમાં હતું હવે 5 લાખ ચોરસ ફૂટનું થયું-મોદી
મોદીએ કહ્યું કે તમે જ્યારે અહીં આવશો ત્યારે ફક્ત આસ્થાના જ નહીં પરતું અહીના ભવ્ય ભૂતકાળના ગૌરવનો પણ અહેસાસ થશે. પહેલા અહીં જે મંદિર ક્ષેત્ર ફક્ત ત્રણ હજાર ચોરસ ફૂટમાં હતું તે હવે 5 લાખ ચોરસ ફૂટ થઈ ગયું છે. હવે મંદિર અને મંદિર પરિસરમાં 50 થી 75 હજાર શ્રદ્ધાળુઓ આવી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, આ ભવ્ય ધામ ભક્તોને ભૂતકાળનું ગૌરવ અનુભવશે. પીએમ મોદીએ કહ્યું કે 50-60 હજાર શ્રદ્ધાળુઓ હવે મંદિર અને મંદિર સંકુલની મુલાકાત કરી શકે છે. અગાઉ તેમણે કહ્યું હતું કે, હવે તેઓ બાબા સાથે નગર કોટવાલ કાલભૈરવજીની મુલાકાત લેવા અને દેશવાસીઓને તેમના આશીર્વાદ લાવવા માટે આવી રહ્યા છે. કાશીમાં જે કંઈ ખાસ હોય, જે કંઈ નવું હોય, તેમને પૂછવું જરૂરી છે. કાશીના કોટવાલના ચરણોમાં પણ હું નમન કરું છું.
પ્રધાનમંત્રી મોદીનું ભાષણ શરુ
1000 વર્ષનું સપનુ પુરુ કર્યું-યોગી
સીએમ યોગીએ કહ્યું કે 1000 વર્ષ સુધી બાબા વિશ્વનાથનું ધામ પ્રતિકૂળ સ્થિતિમાં રહ્યું. તેમણે કહ્યું કે હજારો વર્ષોની રાહ જોવી પૂર્ણ થઈ છે, એવું કહેવામાં આવ્યું છે કે માતા ગંગા કાં તો ભગીરથના જટામાં અથવા કાશીના મણિકર્ણિકા ઘાટ પર ગૂંચવાઈ ગઈ હતી, પરંતુ આજે અમને વડા પ્રધાન મોદીના પ્રયાસો દ્વારા આ ભેટ મળી છે.
યોગીએ કહ્યું કે કાશીએ ઘણું જોયું છે, બાબાના ધર્મના 1000 વર્ષ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહ્યા હતા. ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલકરે અહીં યોગદાન આપ્યું હતું, મહારાજા રણજીત સિંહે પણ યોગદાન આપ્યું હતું પરંતુ કાશી ક્યારેય તેના કલ્પિત સ્વરૂપમાં આવ્યો ન હતો.
હજારો ડમરુઓના નાદ વચ્ચે પીએમ મોદીનું સ્વાગત
પીએમ મોદી હાથમાં ગંગાજળ લઈને મહાદેવનાં મંદિરમાં પહોંચ્યા ત્યારે ડમરુઓ વગાડવામાં આવ્યા અને કોરિડોરમાં થઈને પીએમ મોદી ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા.
મા ગંગામાં પીએમ મોદીએ લગાવી આસ્થાની ડૂબકી:
પીએમ મોદી મહાદેવના દર્શન કરતાં પહેલા ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી અને ગંગાજળ કળશમાં લીધું હતું, આ જળથી જ મહાદેવનું અભિષેક કરવામાં આવશે.
કાશીની ગલીઓમાં જુઓ કેવું જોરદાર સ્વાગત:
#WATCH | Locals gave a rousing welcome to PM Narendra Modi, showering flower petals and raising slogans of 'Modi, Modi' & 'Har Har Mahadev' in his parliamentary constituency Varanasi
The PM is on a two-day visit to the city to inaugurate Kashi Vishwanath Corridor project pic.twitter.com/155VrYjEpT
લોકો પીએમ મોદીને જોવા ઉમટ્યા
પીએમ મોદી કાળભૈરવ મંદિરમાં દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા અને પીએમ મોદીએ હાથ હલાવીને બધાનું અભિવાદન ઝીલ્યું હતું.
#WATCH | People greet Prime Minister Narendra Modi in his parliamentary constituency Varanasi, Uttar Pradesh
કાળભૈરવનાં દર્શન
કહેવાય છે કે મહાદેવની નગરીમાં પ્રવેશ પણ કરવો હોય તો કાશીનાં કોટવાલ એટલે કે કાળભૈરવની મંજૂરી લેવી જ પડે, એટલે જ આજે પીએમ મોદીએ સૌથી પહેલા કાળભૈરવની પૂજા અને અર્ચના કરી છે.
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Kaal Bhairav temple in Varanasi
Later, he will offer prayers at Kashi Vishwanath temple inaugurate phase 1 of Kashi Vishwanath Corridor
એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત
પ્રધાનમંત્રી મોદીનું રાજ્યપાલ આનંદીબેન અને સીએમ યોગીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું, આખી મહાદેવનગરી આજે પીએમ મોદીને જોવા માટે ઉમટી પડી હોય તેમ ભીડ રસ્તા પર જોવા મળી રહી છે અને મહાદેવનાં મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
Prime Minister Narendra Modi offers prayers at Kaal Bhiarav temple on his arrival in Varanasi pic.twitter.com/zhtzGAkRaz
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, દેશભરમાં શિવભક્તોનાં દિલ ખુશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. આખી કાશી નગરીની કાયાપલટ કરવામાં આવી છે અને હવે બસ આવતીકાલે લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આજે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
Prime Minister Narendra Modi arrives in Varanasi
He will inaugurate phase 1 of Shri Kashi Vishwanath Dham, constructed at a cost of around Rs 339 crores.
કરોડોના કોરિડોરનું લોકાર્પણ
નોંધનીય છે કે વર્ષ 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તે બાદ આજનું કાશી વિશ્વનાથ મંદિર તદ્દન અલગ જ લાગી રહ્યું છે. હવે ગંગાઘાટ સીધા જ પરમેશ્વર મહાદેવના દર્શન થઈ શકશે, આખા કોરિડોરમાં 125 નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરનાં કાર્યપાલક સમિતિનાં અધ્યક્ષ દિપક અગ્રવાલે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, સદીઓ પછી કાશી વિશ્વનાથ મંદિરણો જીર્ણોદ્ધાર થયો છે. લોકો સૈકાઓ સુધી આ કામને યાદ કરશે.
લોકોના ઘરે ઘરે અપાશે પ્રસાદ, જગમગી ઉઠશે મહાદેવની નગરી
આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે. આવતીકાલે લેઝર શૉ અને આતિશબાજી સાથે આખા વારાણસીની ગલીઓ અને દરેક જગ્યા જગમગ થઈ ઉઠશે.
ઔરંગઝેબનાં સિપાહીઓ નંદીની મૂર્તિ તોડી નહોતા શક્યા
1669માં ઔરંગઝેબનાં આદેશ પર મુઘલ સેનાએ તોડી પાડ્યું હતું ભોળાનાથનું આ મંદિર, જોકે મહાદેવનાં સ્વયંભૂ જ્યોતિર્લિંગને કોઈ નુકસાન ન થાય તે માટે તે સમયના મહંત શિવલિંગ લઈને જ્ઞાનવાપી કુંડમાં કૂદી ગયા હતા. મુઘલ સસેનાએ મંદિરનાં નંદીની મૂર્તિ તોડવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તોડી નહોતા શક્યા.