પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીમાં હતા. પીએમ મોદીએ વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ પહોંચીને પૂજા-અર્ચના કરી.
કાશીમાં કરવામાં આવી હતી મારી મૃત્યુની કામનાઃ PM
વારાણસીમાં વિપક્ષ પર વરસ્યા PM મોદી
અંતિમ સમયમાં લોકોને કાશીમાં રહેવું જોઈએ: અખિલેશનું નિવેદન
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વનાથ ધામના લોકાર્પણના સમયે મારા મૃત્યુની કામના પણ કરવામાં આવી હતી. પીએમ મોદીએ નામ લીધા વગર વિપક્ષને નિશાને લેતા કહ્યું કે, કેટલાક લોકો એટલા નીચે સુધી પડી ગયા હતા. તેમણે કહ્યું કે, મૃત્યુની કામના પર પણ મને ખુબ આનંદ આવ્યો. પીએમએ કાશીના લોકોએ ભાવનાત્મક લગાવ પ્રદર્શિત કરતા કહ્યું કે મારા મૃત્યુ સુધી ન કાશી મને છોડશે ન કાશીના લોકો. જો ભક્તોની સેવા કરતો હું ચાલ્યો જાઉં તો તેનાથી સારું શું હોઇ.
It is always special to be in Varanasi. Addressing Booth Vijay Sammelan. Watch. https://t.co/KxIUkkeUIv
પીએમ મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, આ જીવતું શહેર બનારસ છે. પરિવારવાદી લોકો તે નથી સમજી શકતા કે અહીંથી મુક્તિનો માર્ગ ખુલે છે. પીએમ મોદીએ કહ્યું કે, મરતા દમ સુધી કાશીની સેવા કરતો રહીશ. કાશી વિશ્વનાથ ધામ પણ પહોંચ્યા અને સમગ્ર વિધિ-વિધાનની સાથે શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.
ઉલ્લેખનીય છે કે, શ્રીકાશી વિશ્વનાથ ધામના લોકાર્પણના સમય સમાજવાદી પાર્ટી(સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. અખિલેશ યાદવે ત્યાં કહ્યું હતું કે, અંતિમ સમયમાં લોકોને કાશીમાં રહેવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવ તરફથી ત્યારે કરાયેલા પ્રહાર પર આજે વારાણસીમાં પલટવાર કર્યો છે.