PM મોદી આજે કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કર્યું, આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમા મૈસુરના શિલ્પકાર યોગીરાજ શિલ્પીએ તૈયાર કરી છે
PM એ આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિનું કર્યું અનાવરણ
આજે PM મોદીના હસ્તે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ
12 જ્યોતિર્લિંગને ઓનલાઈન જોડવાની તૈયારી
PM મોદી આજે કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કર્યું છે. શંકરાચાર્યની પ્રતિમા મૈસુરના શિલ્પકાર યોગીરાજ શિલ્પીએ તૈયાર કરી છે, શ્રી કેદારનાથ ધામમાં આદિગુરુ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી કૃષ્ણશિલા પથ્થરની બનેલી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પી યોગીરાજ શિલ્પીએ 120 ટનના પથ્થર પર શંકરાચાર્યની મૂર્તિ કોતરેલી છે. ત્યારે PM મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું છે,
Prime Minister Narendra Modi unveils the statue of Shri Adi Shankaracharya at Kedarnath in Uttarakhand pic.twitter.com/7yX0Ft7fOO
મહત્વનું છે કે વર્ષ 2013માં અહીં સર્જાયેલી કુદરતી દુર્ઘટનામાં આદિ શંકરાચાર્યની સમાધિ ધોવાઈ ગઈ હતી જે બાદ અહીં ફરીથી મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવી છે. આદિ શંકરાચાર્યની મૂર્તિના અનાવરણના કરી દેવાયું છે ત્યારે આજે PM મોદીના હસ્તે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ યોજાનાર છે, તેમજ બીજા તબક્કાની યોજનાઓ માટે 150 કરોડના કામનું શિલાન્યાસ થનાર છે. કેદારનાથમાં આદિગુરુ શંકરાચાર્યની સમાધિની ખાસ રચના કરવામાં આવી છે મૂર્તિને ચમકવા માટે નારિયેળ પાણીથી પોલિશ કરવામાં આવે છે. PM મોદીના માર્ગદર્શન હેઠળ કેદારનાથ ધામના પુનઃનિર્માણ કાર્ય હેઠળ આદિગુરુ શંકરાચાર્યની સમાધિને ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે. આદિગુરુ શંકરાચાર્યની સમાધિ કેદારનાથ મંદિરની પાછળ છ મીટર જમીનમાં ખોદકામ કરીને બનાવવામાં આવી છે.
12 જ્યોતિર્લિંગને ઓનલાઈન જોડવાની તૈયારી
આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાના નિર્માણ માટે દેશભરના શિલ્પકારોએ પોત-પોતાના નમૂના રજૂ કર્યા હતા. જે બાદ પ્રતિમા તૈયાર કરવા માટે વડાપ્રધાન કાર્યાલય તરફથી યોગીરાજ શિલ્પીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સમાધિની મધ્યમાં મૈસુરના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.કેદારનાથ સહિત દેશની તમામ દિશાઓમાં સ્થાપિત 12 જ્યોતિર્લિંગોને ઓનલાઈન જોડવાની તૈયારી પણ ચાલી રહી છે. પીએમની મુલાકાત દ્વારા તમામ જ્યોતિર્લિંગોને એક સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવશે