કેનેડામાં Sardar patel ની મૂર્તિ જોઈને કોઈ પણ ભારતીયની છાતી ગજગજ ફૂલવા લાગે. Canada ના મરખમમાં PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરેલ આ મૂર્તિનો Video જોઈને તમે પણ કહેશો વાહ! જય સરદાર
PM મોદીએ કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું
કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો
અમે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઈચ્છીએ છીએ: PM મોદી
એક મહાન પહેલ
કેનેડાના મરખમ સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યો હતો.
તેમણે પ્રતિમાના અનાવરણને ડાયસ્પોરા દ્વારા ભારત સાથે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે એક મહાન પહેલ તરીકે ગણાવ્યું હતું.
જે દેશમાં ભારતીય રહે છે....
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વિશ્વમાં જ્યાં પણ કોઈ ભારતીય રહે છે, પછી ભલે તે ગમે તેટલી પેઢીઓ જીવતો હોય, તેની ભારતીયતા, ભારત પ્રત્યેની તેની વફાદારી સહેજ પણ ઓછી થતી નથી. જે દેશમાં તે ભારતીય રહે છે, તે દેશની સેવા પૂરી સમર્પણ અને ઈમાનદારીથી કરે છે. તેમણે કહ્યું કે અમે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઈચ્છીએ છીએ.
Sardar Vallabhbhai's statue at Sanatan Mandir will not only strengthen our cultural values but also become a symbol of relation between the 2 countries: PM Modi at a programme in Markham, Canada where a statue of Sardar Patel is being unveiled at Sanatan Mandir Cultural Centre pic.twitter.com/pwXoPor60L
'વસુધૈવ કુટુંબકમ'ની વાત
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત એક દેશ હોવાની સાથે સાથે એક મહાન પરંપરા, વૈચારિક સ્થાપના અને સંસ્કૃતિનો પ્રવાહ છે. ભારત એક એવો સર્વોચ્ચ વિચાર છે જે 'વસુધૈવ કુટુંબકમ'ની વાત કરે છે. ભારત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. તે બીજાના નુકસાનની કિંમતે પોતાના ઉત્કર્ષનો વિચાર કરતો નથી.
સર્વે સંતુ નિરામયા
PM મોદીએ કહ્યું હતું કે આજે અમે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો એમાં આખા વિશ્વનું કલ્યાણ કરવાનો ઉદ્દેશ્ય છે. આજે અમે યોગનો પ્રચાર કરી રહ્યા છીએ અને તેનાથી સર્વે સંતુ નિરામયા એટલે કે સૌને નીરોગી બનાવવાનો ઉદ્દેશ્ય છે.