રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પી.એમ. મોદી કેવડિયા આવવાના છે. ત્યારે તળાવ 3 માં સી.પ્લેન થી આવશે અમદાવાદ સાબરમતી નદી માંથી ઉડાન ભરી સીધા કેવડિયા નર્મદા બંધ આવશે. જેને પગલે બંધને મગર મુક્ત બનાવાશે.
108 મગરો ને ઝડપી ને સરદાર સરોવર માં છોડી મુકવામાં આવ્યા છે
31મી ઓગષ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવ મગર ફ્રી કરવામાં આવશે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પી.એમ. મોદી કેવડિયા આવવાના છે તેવું જાણવા મળ્યું છે. ત્યારે તળાવ 3 માં સી.પ્લેન થી આવશે અમદાવાદ સાબરમતી નદી માંથી ઉડાન ભરી સીધા કેવડિયા નર્મદા બંધ આવશે તેવું જાણવા મળ્યું છે ત્યારે આ માટે ગુજરાતમાંથી તમામ તૈયારી કરવામાં આવી રહી છે. જેને માટે માટે મગર પકડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
108 મગરો ને ઝડપી ને સરદાર સરોવર માં છોડી મુકવામાં આવ્યા છે
ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પિંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરો ને ઝડપી ને સરદાર સરોવર માં છોડી મુકવામાં આવ્યા છે. આમ 31મી ઓગષ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવ મગર ફ્રી કરવામાં આવશે.
આજે કેવડિયા આર એફ ઓ વી પી ગભાણીયા એ VTV સાથે ની વાત માં જાણવાયું હતું કે સી પ્લેન માટે ની તૈયારીઓ માટે ગઈ કાલે જ એક મિટિંગ માં તમામ તૈયારીઓ 31 ઓક્ટોમ્બર સુધી પુરી પાડવામાંઆવશે જેવી વાત પણ કરી હતી. આ સાથે કેન્દ્રમાંથી ટીમો પણ તળાવ 3 ની મુલાકાત કરી જેટી બનાવવાની જગ્યા અને પી.એમ ની આવવા જવાની જગ્યા નું નિરીક્ષણ કરાયું હોય. 31 મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી સી પ્લેન મારફતે આવવા ને લઇ ને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.