પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર (General Assembly of the United Nations) મહાસભામાં સમગ્ર વિશ્વના નેતાઓને સંબોધન કર્યું હતું. 74માં સત્રમાં ક્લાયમેટ ચેન્જ અને આતંકવાદના મુદ્દે વિશ્વને સંબોધન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન
પીએમ મોદી બાદ પાકિસ્તાન પીએમ ઇમરાન ખાનનું સંબોધન
આતંકવાદ અને વિકાસના મુદ્દા મોદીના ભાષણમાં સામેલ હોઇ શકે છે
આતંકવાદ સમગ્ર દુનિયા માટે પડકારરૂપઃ પીએમ મોદી
આતંકવાદ કોઇ એક દેશ નહીં, પરંતુ સમગ્ર દુનિયા તરફ માનવતા સૌથી મોટો પડકારમાંથી એક છે. આતંકવાદના નામ પર વહેંચાયેલી દુનિયા આ સિદ્ધાંતોને ઠેસ પહોંચાડે છે, જેના આધાર પર યૂએનનો જન્મ થયો. આતંકવાદ વિરૂદ્ધ સમગ્ર વિશ્વએ એક થવું જરૂરી છે.
Prime Minister Narendra Modi at #UNGA: We believe that terrorism is not a challenge for any one country, but for all countries and of mankind as a whole. So for the sake of humanity, all the world has to unite against terror. pic.twitter.com/XhAd4MN1tj
અમે દુનિયાને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે. એટલા માટે અમારા અવાજમાં આતંક વિરૂદ્ધ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા પણ છે, સાથો સાથ આક્રોશ પણ છે.
વિવેકાનંદે દુનિયાને શાંતિ અને સંપનો સંદેશ આપ્યો હતો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિવેકાનંદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અંદાજિત સવા સૌ વર્ષ પહેલા ભારતના આદ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વને ધર્મ સંસદને શાંતિ અને સંપનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સૌથી મોટા લોકતંત્ર ભારતનો આજે પણ દુનિયા માટે સંદેશ છે. શાંતિ અને સંપ.
પાકિસ્તાનનો ભારત નહીં કરે ઉલ્લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પાકિસ્તાનના નામનો ઉલ્લેખ નથી કર્યો. ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ વૈશ્વિક મંચ પર બોલવા માટે ફાળવાયેલ સમય દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ નહીં કરે કારણ કે કલમ 370ને રદ કરવી સમગ્ર રીતે ભારતનો આંતરિક મુદ્દો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે ભલે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મદુ્દો ઉઠાવીને પોતાનું કદ ઓછું કરે પરંતુ કાશ્મીર મુદ્દાને ન ઉઠાવીને ભારતે પોતાના ઉંચા હોવાનું પ્રમાણ આપ્યું.
પીએમ મોદીએ આપ્યો જન-કલ્યાણથી જગ-કલ્યાણનો મંત્ર
ભારત હજારો વર્ષ જૂની મહાન સંસ્કૃતિ છે, જેમની પોતાની જીવન પરંપરા છે, જે વૈશ્વિક સપનાઓને પોતાનામાં સમેટ્યાં છે. જનભાગીદારીથી જનકલ્યાણ અમારૂં પ્રાણ તત્વ છે.
15 કરોડ ઘરોને પાણી સપ્લાયથી જોડવાનું લક્ષ્યઃ પીએમ મોદી
આજે જ્યારે તમને સંબોધિત કરી રહ્યો છું તો આ સમયે અમે પોતાના દેશને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મૂક્ત કરાવવા માટે મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. જળ સંરક્ષણને આગળ વધારવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીની સપ્લાઇથી જોડનારા છે.
Prime Minister Narendra Modi at #UNGA : While I was coming here, I read on the walls of the United Nations "No more single use plastic". I am delighted to inform you that we are running a big campaign in India to free the country of single use plastic. pic.twitter.com/XsVQqvyrBm
મોટા જનાદેશથી હું ફરી અહીં પહોંચ્યો છુંઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સરકારને મજબૂત જનાદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે સ્વચ્છતાનો જનાદેશ ભારતમાં શરૂ થયો, જે વ્યાપક સ્તર પર રહ્યો અને પ્રેરક રહ્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજના આયુષ્માન ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ દર વર્ષે 50 લાખ લોકો પાંચ લાખ રૂપિયા સુધી વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે 5 વર્ષામાં 11 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા.
Prime Minister Narendra Modi at #UNGA : When a developing nation successfully carries out the biggest cleanliness drive of the world and provides more than 11 crore toilets to its people just within 5 years, that system gives a message of inspiration to the entire world. pic.twitter.com/4dVqZBQiQl
સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવી રહ્યું છેઃ પીએમ મોદી
આ સમય એટલા માટે વિશેષ છે કારણ કે આ વર્ષે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જયંતિ મનાવી રહ્યું છે, સત્ય અને અહીંસાનો તેમને સંદેશ આજે પણ વિશ્વના પ્રાસંગિક છે.
UNમાં સંબોધન પહેલા PMOનું ટ્વીટ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે તૈયાર
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં સંબોધન પહેલા રૂહાનીને મળ્યા મોદી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર પહેલા ગુરૂવારે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ ચાબહાર બંદરગાહ અને તેના મહત્વ પર ચર્ચા કરી. બન્ને નેતાઓએ આ સિવાય દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને રાષ્ટ્ર હિતો અને વૈશ્વિક વિકાસ પર શેર કર્યા.