PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSSના પ્રમુખ મોહન ભાગવતના એક સાથે ગુજરાતમાં ધામા નાખંતા અનેક તર્ક -વિતર્ક શરૂ થવા લાગ્યાં છે.
અમદાવાદમાં સંઘની ત્રી-દિવસીય બેઠક
મોહન ભાગવત સહિત હોદ્દેદારો હાજર
આ બેઠકમાં સંગઠન વિસ્તાર સહિત અનેક મુદ્દે થશે ચર્ચા
ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે. બીજી બાજુ અમદાવાદમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો છે. જેમાં RSSના વડા મોહન ભાગવત હાજર રહ્યાં છે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSSના પ્રમુખ મોહન ભાગવતના એક સાથે ગુજરાતમાં ધામા નાખંતા અનેક તર્ક -વિતર્ક શરૂ થવા લાગ્યાં છે.
PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મોહનભાગવતના એક સાથે ગુજરાતમાં ધામા
મહત્વનું છે કે, એક તરફ RSSના પ્રમુખ મોહન ભાગવત, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહના એક સાથે ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. જેને લઈને ગુજરાતના રાજકારણમાં એક-બે દિવસ કંઈક નવા જૂની થવાના એંધાણ છે. આ સાથે કહેવાઈ રહ્યું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસની બેઠક પણ અમદાવાદમાં આયોજિત થઈ છે. આમ અમદાવાદમાં સંઘની ત્રી-દિવસીય બેઠક સંયોગ છે કે પૂર્વ આયોજન તે ચર્ચાએ પણ પકડ્યું જોર પકડ્યું છે. ઉલ્લેખનયી છે કે, સામાન્ય રીતે સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં મળતી હોય છે. પરંતુ આ વખતે અમદાવાદમાં મળી તે પણ મહત્વની વાત છે.
આ બેઠકમાં સંગઠન વિસ્તાર સહિત અનેક મુદ્દે થશે ચર્ચા
આ બેઠકમા સંઘના કાર્યનો આગામી બે વર્ષમાં કેવી રીતે વિસ્તાર કરવો, કયા વિસ્તાર કરવો અને તેને લગતી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં RSSથી જોડાયેલી 36 જેટલી સંસ્થાઓ જેવી કે, ભારતીય મજદૂર સંઘ, વિદ્યાર્થી પરિષદ, વન વાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિધ્યા ભારતી અને વિશ્વ હિન્દૂ પરિષદ જેવી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. 1988 માં સંઘની આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પ્રથમ વખત નાગપૂરની બહાર રાજકોટમાં કરવામાં આવ્યું હતું. અને હવે અમદાવાદમાં આયોજિત થઈ છે.