બીજેપી સંસદીય પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ એ મંત્રીઓ પર નારાજગી દર્શાવી છે જે રોસ્ટર ડ્યૂટી દરમિયાન પણ ગાયબ રહે છે. એમણે કહ્યું કે, એવા મંત્રીઓના નામ સાંજ સુધીમાં બતાવવામાં આવે. તેની સાથે જ વડાપ્રધાન નરેદ્ર મોદીએ સાંસદોને કહ્યું કે તે રાજનીતિથી હટીને કામ કરે. પીએમ મોદીએ કહ્યું કે સાંસદોએ વર્તમાન જળ સંકટ પર કામ કરવું જોઇએ.
એમણે કહ્યું કે એમણે પોતાના ક્ષેત્રના અધિકારીઓ સાથે બેસીને જનતાની સમસ્યાઓ પર વાત કરવી જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે, સાંસદોએ તેમના ક્ષેત્ર માટે કોઇ એક મહત્વપૂર્ણ કામ કરવું જોઇએ અને જિલ્લા તંત્ર સાથે મળી કામ કરવું જોઇએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જાનવરોની બીમારી, ટીબી અને કુષ્ઠ રોગો જેવી બીમારીઓ પર મિશન મોડમાં કામ કરવું જોઇએ.
આ પહેલા પણ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કડક વલણ અપનાવ્યું હતું. એમણે અનુશાસન મદ્દે સ્પષ્ટ કહ્યું હતું કે કોઇપણ હોય અથવા કોઇનો પણ પુત્ર હોય કાર્યવાહી થવી જોઇએ. આ દરમિયાન બીજેપીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના અધિકારી સાથેના ગેરવર્તણૂંક દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ગત કાર્યકાળમાં પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમં હંમેશા નરમ અને સમજાવાની મુદ્રામાં રહેતા હતા. એટલા સુધી કે ગામ પણ દત્તક લેવાની યોજના પર સાંસદોના વલણ પર ક્યારેય ટોકતા નહોતા. પરંતુ આ વખતે વડાપ્રધાનનો મિજાજ બદલાય નજરે પડી રહ્યો છે. સંસદ સત્ર દરમિયાન ગૃહમાં એક મંત્રીનું રહેવું અનિવાર્ય હોય છે. તેના માટે તેમનો રોસ્ટર બને છે. તેને જ રોસ્ટર ડ્યૂટી કહે છે.