પીએમ મોદી આજે કેદારનાથની મુલાકાતે પહોંચ્યાં છે. પીએમ મોદી બે દિવસ માટે બદ્રીનાથ અને કેદારનાથી મુલાકાતે છે. ત્યારે કેદારનાથ પહોંચીને પીએમ મોદીએ મંદિરમાં કેદારનાથ બાબાના દર્શન કર્યા છે. આ સાથે સાથે પીએમ મોદીએ વીસ મીનીટ સુધી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી છે.
અહીં પીએમ મોદી દર્શન પૂજા અર્ચના કરી. પીએમ મોદી કેદારનાથના જિર્ણોદ્ધારની સમીક્ષા પણ કરી. વડાપ્રધાન મોદી કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે એટલે કે રવિવારે સવારે તેઓ કેદારનાથના દર્શન કર્યા બાદ બદ્રીનાથ જવા માટે રવાના થશે. પીએમ મોદી ભોલે નાથના શરણે છે. પીએમ મોદી પાર્ટીની જીત માટે પૂજા અર્ચના કરશે.
લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથની મુલાકાતે પહોંચ્યાં છે. અહીં પહોંચીને પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદી આ સાથે-સાથે કેદારનાથના જિર્ણોદ્ધારની સમીક્ષા પણ કરી હતી.. ત્યાર બાદમાં પીએમ મોદી ધ્યાન ગુફામાં પણ જશે અને ત્યાં ધ્યાન પણ કરશે.
પીએમ મોદી કેદારનાથમાં રાત્રિ રોકાણ કરવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પીએમ મોદીના આગમનના પગલે કેદારનાથ મીની પીએમઓ બની ગયું છે. એસપીજી, પોલીસ, પી.એસ.સી., હોમગાર્ડના જવાનોનો પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 800થી પણ વધુ જવાનોને તૈનાત કરાયા છે. પીએમ મોદીના આગમનના પગલે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.