વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાત કરી. જો બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા પછીની આ તેમની સાથે પહેલી વાતચીત હતી.
વડાપ્રધાને જો બાઈડન સાથે કરી ફોન પર વાત
ટ્વિટ કરીને આપી જાણકારી
પ્રકાશરાજે કહ્યું 'અબ કી બાર ટ્રમ્પ સરકાર' પછી શું?
આ અંગેની જાણકારી PM મોદીએ ટ્વિટર પર આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સૌથી પહેલા તેમણે જો બાઈડનને રાષ્ટ્રપતિ બનવા માટે ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવી હતી. તે ઉપરાંત તેમણે ક્ષેત્રીય બાબતો પર ચર્ચા કરી હતી. તેમના આ ટ્વિટ પર બોલીવુડના પ્રખ્યાત અભિનેતા પ્રકાશરાજે વિશેષ ટિપ્પણી કરી હતી. જાણો શું કરી ટિપ્પણી ?
શું કરી ટિપ્પણી ?
પ્રકાશરાજે નરેન્દ્ર મોદીની ટ્વિટનો જવાબ આપતાં કહ્યુ કે, "અબ કી બાર ટ્રમ્પ સરકાર " પછી આ બધું ???? તેમની આ ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમના ફેન્સ પણ તેમની ટ્વિટ પર કમેન્ટ કરી રહ્યા છે. પ્રકાશરાજે ટ્વિટમાં લખ્યુ હતું કે, " ક્ષેત્રીય મુદ્દા કે આંતરિક મુદ્દા " અને "અબ કી બાર ટ્રમ્પ સરકાર " પછી જલવાયુ પરિવર્તન પર વાતચીત. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, " અમે ક્ષેત્રીય સહયોગ અને સમાઘાન માટે પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી. અમે જલવાયુ પરિવર્તન વિરુદ્ધ વધુ સહયોગ વધારવા પર પણ એકમત થયાં છીએ.
શાંતિ અને સ્થિરતા માટે શું કરી વાત "?
PM મોદીએ આ ઉપરાંત વધુ એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતુ કે, " હું અને રાષ્ટ્રપતિ જો બાઈડન દુનિયામાં નિયમ કાનુન આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પક્ષમાં છીએ. અમે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે અમારી રણનિતિક સમજણને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય એ વિશે વિચારી રહ્યાં છીએ ".
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના વિદેશમંત્રીએ બાઈડનની ચૂંટણી જીત્યા બાદ નવી સરકારના ગઠન બાદ તમામ દેશોના ઉચ્ચ અધિકારીઓ સાથએ વાત કરી હતી. જેમા ભારત પણ સામેલ હતો.
અભિનેતા પ્રકાશરાજની જો વાત કરવામાં આવે તો તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને સમસામયિક મુદ્દાઓ પર વિના સંકોય પોતાનો મત રજૂ કરતાં હોય છે.