ઘટના ખૂબજ દુ:ખ છે મૃતકોના પરિવારને સંવેદના, ઈજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના, અસરગ્રસ્તોને સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે- PM મોદી
અમદાવાદમાં બનેલી દુર્ઘટના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
નિર્માણાધિન ઈમારતમાં બનેલી ઘટના દુ:ખદ છે- PM મોદી
મૃતકોના પરિવારને સંવેદના પાઠવી
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર સાઇટ પર નિર્માણાધીન બિલ્ડિંગમાં લીફ્ટ તુટવાનો મામલો બી ડિવિઝન ACP એલ.બી.ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમને આપેલી માહિતી અનુસાર ઘટનામાં કુલ 7 શ્રમિકોના મોત થયા છે. આ મામલે એક બિલ્ડરની અટકાયત કરવામાં આવી છે. ઘટના અંગે બિલ્ડરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અડોર ગ્રુપના 4 પાર્ટનર છે. એક બિલ્ડરનું નામ વિશાલ શાહ અને બીજા 3 પાર્ટનર છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની છે. લિફ્ટ ઉપરથી નીચે પડતા 6 શ્રમિકો નીચે પડ્યા હતા, એક શ્રમિક ગભરાઇ જતા નીચે પડ્યો હતો. 13માં માળ અને 5માં માળેથી શ્રમિકો નીચે પડ્યા હતા. સોલા સિવિલ અને વાડીલાલ હોસ્પિટલ ખાતેથી પોલીસને જાણ કરવામાં આવી છે. સવારે 9.30 કલાકે ઘટના બની હતી. 10.30 કલાકે પોલીસને જાણકારી આપવામાં આવી હતી.કોન્ટ્રાકટરને બોલાવીને તપાસ ચાલુ કરી છે. સોલા સિવિલમાં મોકલાયેલ 5માંથી 4 લોકોના મોત થયા છે ક્યારે SVP હોસ્પિટલમાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે.
The mishap at an under-construction building in Ahmedabad is saddening. Condolences to those who have lost their family members in this mishap. I hope the injured recover soon. The local authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
CM ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાથી વ્યથિત
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કહ્યું કેઅમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગ સાઇટ પર થયેલ દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં જાન ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
મીડિયાના માધ્યમ થકી અમને જાણ કરાઇ: ફાયર અધિકારી
આ દુર્ઘટનાને લઇને નવરંગપુરાના ફાયર અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'નવરંગપુરા ફાયર વિભાગને કોઈપણ જાણ નથી કરાઈ. મીડિયાના માધ્યમ થકી અમને જાણ કરાઇ. કેટલાક લોકોને SVP અને સોલા સિવિલ ખસેડાયા છે.'
તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ
અમદાવાદમા કન્સ્ટ્રકશન સાઈટમા શ્રમિકોના મૃત્યુ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. શ્રમ રોજગાર વિભાગના અધિકારીઑ સ્થળ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. તપાસ અહેવાલ શ્રમ રોજગાર મંત્રી અને CMને સોંપવાનો આદેશ અપાયો છે.
ઘટના સવારના 9:30 વાગે ઘટી હતી
એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 7 શ્રમિકોના મોત થયા છે. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.