નવી દિલ્હીઃ પીએમ મોદીએ દિગ્ગજ નેતા રહી ચૂકેલા રામ મનોહર લોહિયાની જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને કોંગ્રેસ તેમજ દેશના સમાજવાદી પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ રામ મનોહર લોહિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે બિન કોંગ્રેસવાદ માટે લોહિયા જીવનભર લડતા રહ્યા તેમની સાથે જ તેઓએ મહામિલાવટી ગઠબંધન કર્યુ.
Today they are betraying the principles of Dr. Ram Manohar Lohia, tomorrow they will also betray the people of India.
My thoughts on why those who claim to follow Dr. Lohia have let him down. Do read. https://t.co/gq1srcXwkx
— Chowkidar Narendra Modi (@narendramodi) March 23, 2019
પીએમ મોદીએ આ બ્લોગને ટ્વીટ પણ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે 130 કરોડ ભારતીયો સામે આ સવાલ મોં ખોલીને ઉભો છે. જે લોકોએ ડૉક્ટર લોહિયા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા લોકો પાસેથી આપણે દેશની સેવાની આશા કેવી રીતે રાખી શકીએ. જે લોકોએ ડૉક્ટર લોહિયાના સિદ્ધાંતો સાથે છળકપટ કર્યુ છે તેવા લોકો હંમેશા દેશવાસીઓ સાથે પણ છળકપટ કરી શકે છે.
जो लोग आज डॉ. लोहिया के सिद्धांतों से छल कर रहे हैं, वही कल देशवासियों के साथ भी छल करेंगे।
जो लोग डॉ. लोहिया के दिखाए रास्ते पर चलने का दावा करते हैं, वही क्यों उन्हें अपमानित करने में लगे हैं? पढ़िए मेरे विचार... https://t.co/FVzjkEXXSd
— Chowkidar Narendra Modi (@narendramodi) March 23, 2019
તો કોંગ્રેસ પર વાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, ડોક્ટર લોહિયા અંગ્રેજોના શાસનમાં જેટલીવાર જેલ ગયા તેનાથી વધારે તેઓને કોંગ્રેસની સરકારે જેલમાં મોકલ્યા.