હરિદ્વારમાં 11 વર્ષ બાદ કુંભ મેળો યોજાયો છે. આ કુંભ મેળામા અનેક સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં હવે પીએમ મોદીએ મહાકુંભને લઇને ટ્વિટ કર્યું છે.
મહા કુંભને લઇ PM મોદીનું ટ્વિટ
સાધુ-સંતોના પૂછ્યા ખબર અંતર: PM મોદી
કુંભને પ્રતિકાત્મક રાખવામાં આવે: PM મોદી
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સાધુ-સંતોને અપીલ કરી છે ત્યારે તેમના ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને પ્રતિકાત્મક રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક તાકાત મળશે.
વધુ એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના સ્વાસ્થ્યના હાલ જાણ્યા. તમામ સંતગણ તંત્રને તમામ પ્રકારનો સહયોગ કરી રહ્યા છે. મેં એટલા માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો.
मैंने प्रार्थना की है कि दो शाही स्नान हो चुके हैं और अब कुंभ को कोरोना के संकट के चलते प्रतीकात्मक ही रखा जाए। इससे इस संकट से लड़ाई को एक ताकत मिलेगी। @AvdheshanandG
પીએમ મોદીના આગ્રહ પર સ્વામી અવધેશાનંદે કહ્યું કે, અમે પીએમ મોદીના આહ્વાનનું સન્માન કરીએ છીએ. જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે, કોરોનાની પરિસ્થિતિને જોતા ભારે સંખ્યામાં સ્નાન કરવા ન આવે લોકો, નિયમોનું કરે પાલન.
મહત્વનું છે કે, કોરોનાના કેસ વધતા ગઇકાલે નિરંજની અખાડાએ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. આનંદ અખાડાએ પણ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત હાઇલેવલ મીટિંગ યોજી હતી.