કોરોના વાયરસ સામેની લડાઈમાં પીએમ રિલીફ ફંડમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે પોતાનું યોગદાન આપ્યું છે અને હવે પીએમ નેરન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બોલિવૂડના આ સ્ટાર્સનો આભાર વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં બોલિવૂડ સ્ટાર્સ સિવાય મોદીએ અન્ય કેટલાક ખાસ લોકોની પણ દાન આપવા માટે પ્રશંસા કરી છે.
તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ અજય દેવગન, નાના પાટેકર, શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યન, રેપર બાદશાહ, રણવીર શૌરી અને ગુરૂ રંધાવાને ટેગ કરીને ટ્વિટ કર્યું છે. પીએમ મોદીનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
India’s stars are playing a starring role even in ensuring the health of the nation. They’re playing a leading role in raising awareness as well as in contributing to PM-CARES. Thanks @nanagpatekar, @AjayDevgnFilms, @TheAaryanKartik and @TheShilpaShetty.
પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, દેશને સ્વસ્થ રાખવા માટે દેશના સિતારાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ જાગરૂકતા ફેલાવવાની સાથે પીએમ રિલીફ ફંડમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
People from all walks of life have contributed to PM-CARES. They have given their hard-earned money to sharpen the fight against COVID-19.
પીએમ મોદીએ વધુ એકટ ટ્વિટ કરીને લખ્યું- તમામ ક્ષેત્રોના લોકો પીએમ રિલીફ ફંડમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. કોવિડ-19 સામેની જંગમાં જીત મેળવવા આ લોકો પોતાની મહેનતની કમાઈ આપી રહ્યાં છે. હું બાદશાહ, રણવીર શૌરી અને ગુરુ રંધાવાનો આભાર માનું છું. આ પ્રયાસ કોરોના વાયરસ સામે જંગ જીતવામાં મદદ કરશે.