પ્રધાનમંત્રી મોદીએ આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી વિડીયો કોન્ફરન્સ
પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના વેર્સની સ્થિતિને લઈને કરી ચર્ચા
માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ વિના ઊમટેલી ભીડ ચિંતાનો વિષય
હિલ સ્ટેશનો પર જોવા મળતી ભીડ ચિંતાનો વિષય
PM મોદીએ વિડીયો કોન્ફરન્સ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે PM મોદીએ કહ્યું હતું કે, હિલ સ્ટેશનો પર સોશ્યલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વગર જોવા મળતી ભીડ ખરેખર ચિંતાનો વિષય છે. આ સમયે વધારે જોખમી વિસ્તારોમાં કોવિડ-19 વેકસીનેશન પર ભાર આપવાની જરૂર છે.
સતર્ક રહીને કડક પગલાં લેવા જરૂરી
પ્રધાનમંત્રી મોદી કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોના અમુક જિલ્લાઓમાં કોવિડની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. આવા સમયે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ઝડપથી પગલાં લેવા જરૂરી છે. તદુપરાંત પહાડી વિસ્તારોમાં થોડા સખત પગલાં પણ લેવા પડશે. તેમણે કહ્યું હતું કે, 'હું ભારપૂર્વક કહેવા માગું છૂ કે હિલ સ્ટેશનો પર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના પ્રોટોકૉલનું પાલન કર્યા વગર ભીડ એકઠી કરવી બિલકુલ યોગ્ય નથી. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો કહેતા હોય છે કે અમે ત્રીજી લહેરના આગમન પહેલા અમે થોડું એન્જોય કરવા માગીએ છીએ. આપણે એ સમજવું જરૂરી છે કે ત્રીજી લહેર આપમેળે નથી આવવાની. ઘણીવાર લોકો એવું પણ પૂછતાં જોવા મળે છે કે ત્રીજી લહેર સામે તમારી શું તૈયારીઓ છે? ત્રીજી લહેરને કઈ રીતે રોકીશું? પણ કોરોના વાયરસ જાતે નહીં આવે, માટે આપણે જ સાવધાની રાખવી પડશે.
સૌએ સાથે મળીને કામ કરવું પડશે
પ્રધાનમંત્રી મોદી આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ત્રીજી લહેરને રોકવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. નાના પાયે કામ કરવું પડશે તેમજ કઠોર પગલાઓ પણ લેવા જરૂરી છે. નાનામાં નાના નિષેધ કેન્દ્ર તરફ ધ્યાન્ આપવું પડશે તો જ ત્રીજી લહેર સામે લડી શકાશે.
કોરોનાનાં અલગ અલગ વેરીઅન્ટના ખતરા સામે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે કોવિડના દરેક સ્વરૂપ પર નજર રાખવાની જરૂર છે. આવી બદલાતી સ્થિતિમાં નિષેધ અને ઉપચાર બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે.