ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસનું માંડ એક બેઠક મળી છે. આમ કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે. ત્યારે ભાજપની જીતને લઇને પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું હતું.
ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપની જીતને લઇ PM મોદીનું ટ્વિટ કર્યુ હતું. જૂનાગઢ, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇને ટ્વિટ કર્યુ હતું. જેમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતું કે ચૂંટણીમાં પ્રજાએ સર્વત્ર ભાજપના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે. ગુજરાતની જનતાએ હંમેશા વિકાસની રાજનીતિમાં ભરોસો મુક્યો છે. સૌને ખુબ-ખુબ અભિનંદન અને આભાર. PM મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરી પ્રજાનો આભાર માન્યો છે.
ગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતની જનતાએ હંમેશા 'વિકાસની રાજનીતિ'માં ભરોસો મૂક્યો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર..!!
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતની જનતાએ હંમેશા 'વિકાસની રાજનીતિ'માં ભરોસો મૂક્યો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર..!!'
ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યુ છે. આ ચૂંટણીમા ભાજપની જીત થઈ છે. જેને લઈને ભાજપના ઉમેદવાર અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યાલય પર જમાવડો જોવા મળ્યો હતો.
NCP કોંગ્રેસ કરતા આગળ નિકળી
મનપાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. કોંગ્રેસ એક પણ પેનલ પોતાના નામે કરી શકી નથી જ્યારે ચૂંટણીમાં NCPના એક પેનલની જીત થઈ છે. કોંગ્રેસ કરતા NCP આગળ નિકળી ગઈ અને NCPની એક પેનલનો વિજય થયો છે. આ એ જ પેનલ છે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો. પરંતુ કોંગ્રેસે ટિકિટ કાપતા ઉમેદવારો NCPમાં જોડાયા હતા અને NCPની પુરી પેનલને જીત અપાવી હતી.
કોંગ્રેસની એક પણ પેનલની થઈ નથી જીત
જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ પેનલમાં જીત થઈ નથી. 15 પેનલના 59 ઉમેદવારોમાંથી કોંગ્રેસના માત્ર એક જ ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ નંબર-4ના પહેલી નંબરના ઉમેદવાર મંજુલાબેન પરસાણાની જીત થઈ છે. મનપાની ચૂંટણીમાં મંજુલાબેન પરસાણાની જીત થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસના કાર્યાલય ખાલી જોવા મળ્યા હતા.