નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનંત કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાત્રીના વારાણસીથી સીધા બેંગાલુરૂ પહોંચ્યા. પીએમ મોદીને એરપોર્ટ પર રિસીવ કરવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પહોંચ્યા હતા. પીએમ મોદી ત્યાંથી બસાવનાગુડી સ્થિત અનંત કુમારના નિવાસ સ્થાને ગયા જ્યાં કુમારના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો.
Prime Minister Narendra Modi reaches at the residence of #AnanthKumar in Bengaluru to pay tribute to the late Union Minister. pic.twitter.com/fBAqbFAxHw
પીએમ મોદીએ અહીં અનંત કુમારના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી અને શોકની લાગણીથી પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી. પીએમ મોદી પોતાના મંત્રી અનંત કુમારના પાર્થિવ દેશની પાસે હાથ જોડીને થોડીવાર સુધી ઉભા રહ્યા.
Karnataka: Union Minister JP Nadda and Madhya Pradesh CM Shivraj Singh Chouhan arrive at the residence of #AnanthKumar in Bengaluru to pay tribute. pic.twitter.com/Tn5OGUe84G
પીએમ મોદીએ કુમારના પત્ની તેજસ્વીની અને તેમની બે પુત્રીઓ વિજેતા અને એશ્વર્યાને સાંત્વના આપી. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને કર્ણાટક ભાજપના પ્રમુખ બી.એસ.યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા.