મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે પ્રધાનમંત્રી મોદીને દેશ અને ભાજપના સૌથી મોટા નેતા ગણાવ્યાં.
સંજય રાઉતે કહ્યું પીએમ મોદીને દેશ અને ભાજપના સૌથી મોટા નેતા
ઉદ્ધવ અને પીએમ મોદીની મુલાકાત થઈ હતી
આ મુલાકાત બાદ રાજકીય અટકળો શરુ થઈ
મોદીને કારણે 7 વર્ષમાં ભાજપને સફળતા મળી-સંજય રાઉત
શું કહ્યું સંજત રાઉતે
સંજય રાઉતે પ્રધાનમંત્રીના વખાણ કરતા ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. સંજય રાઉતે કહ્યું કે પીએમ મોદી દેશના ટોચના નેતા છે. ભાજપને છેલ્લા સાસત વર્ષમાં જે સફળતા મળી છે તેની પાછળ નરેન્દ્ર મોદી છે. તેમણે કહ્યું કે આ સચ્ચાઈનો કોઈ પણ ઈન્કાર કરી શકે તેમ નથી. સંજય રાઉતે જણાવ્યું કે મારુ માનવું છે કે મોદી દેશ અને ભાજપના ટોચના નેતા છે. ભાજપને છેલ્લા 7 વર્ષમાં જે સફળતા મળી છે તે એકમાત્ર મોદીને કારણે મળી છે.
I believe that Narendra Modi is the top leader of the country and Bharatiya Janata Party. No one can deny the fact that the success which the Bharatiya Janata Party has got in the last 7 years is only because of Narendra Modi: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/lYAqcmEtdS
વાઘ સાથે કોઈ દોસ્તી ન કરી શકે
રાઉતે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ચૂંટણી અભિયાનમાં સામેલ ન થવું જોઈએ કારણ કે તેનાથી સરકારી તંત્ર પર દબાણ આવે છે. ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે જો મોદી ઈચ્ચે તો તેમની પાર્ટી વાઘ સાથે દોસ્તી કરી શકે (વાઘ શિવસેનાનું ચૂંટણી ચિન્હ). રાઉતે કહ્યું કે વાઘની સાથે કોઈ દોસ્તી ન કરી શકે. વાઘ જ નક્કી કરી શકે કે તેને કોની સાથે દોસ્તી કરવી છે. શું પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા ઓછી થઈ કે સવાલ જ્યારે રાઉતને પૂછાયો ત્યારે તેમણે કહહ્યું કે હું આની પર કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી. હું મીડિયાની ખબરો કોઈ ટીપ્પણી કરતો નથી. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન પણ આવ્યું નથી.
તો બીજી તરફ એનસીપી અધ્યક્ષ શરદ પવારે શિવસેનાના વખાણ કરતા જણાવ્યું કે તેની પર વિશ્વાસ થઈ શકે તેમ છે. પવાર ગુરુવારે એનસીપીના 22 મા સ્થાપના દિવસે બોલી રહ્યાં હતા. પરંતુ રાજકીય પંડિતોના પવારના સામાન્ય લાગતા આ નિવેદનનો રાજકીય અર્થ કાઢવા લાગ્યાં છે.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસ 2024 ની ચૂંટણી સાથે મળીને લડી શકે
પવારે જણાવ્યું કે ગઠબંધનના ત્રણ પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ 2024 ની ચૂંટણી સાથે મળીને લડી શકે છે. તેમણે કહ્યું કે એવો સંશય પેદા કરાઈ રહ્યો છે કે રાજ્ય સરકાર કેટલા સમય સુધી ચાલશે. પવારે આગળ કહ્યું કે શિવસેના પર ભરોસો કરી શકાય છે. બાળાસાહેબ ઠાકરે ઈન્દીરા ગાંધી પરત્વેના પોતાના વચનનું સન્માન કર્યું હતું. સરકાર તેનો કાર્યકાળ પૂરો કરશે તથા આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરશે.