વડાપ્રધાન મોદી આજે ભાજપના કાર્યકર્તાઓને બજેટ વીશે સંપૂર્ણ માહિતી આપવાના છે. ગઈકાલે પણ તેમણે કહ્યું હતું કે આ બજેટ ગરીબોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે તેઓ બજેટ વીશે સંપૂર્ણ માહિતી આપશે
વડાપ્રધાન મોદી આજે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન આપશે
બજેટના ફાયદાઓ વિશે આપશે માહિતી
ટ્વીટ કરીને તેમણે સંબોધન વીશે આપી હતી માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ભાજપના કાર્યકર્તાઓને સંબોધીત કરશે. જેમા તેઓ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેને લઈને માહિતી આપશે. ગતરોજ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટને વડાપ્રધાન મોદી દ્વારા લોકો માટે અમુકૂળ અને પ્રગતીશીલ જમાવામાં આવ્યું છે.
ગરીબોનું ધ્યાન રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું
પીએમ મોદીના કહેવા પ્રમાણે આ બજેટને ગરીબોનું ધ્યાન રાખીને રજૂ કરવામાં આવ્યું છે. સાથેજ આધુનિક ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ આ બજેટનું એટલુંજ મહત્વ રહેલું છે. મંગળવારે ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે તેઓ 2 ફેબ્રુઆરીએ 11 વાગ્યે બેડટ વીશે લોકોને વાત કરશે. સાથેજ તેમણે કાર્યક્રમમાં શામેલ થવા માટે પણ અપીલ કરી હતી.
પાર્ટીના કાર્યકર્તાઓને આપશે સંબોધન
ભાજપે તેના લોકસભા સાસંદોને આજે દિલ્હીમાં આવેલ જનપથ રોડ પર આંબેડકર સેન્ટરમાં હાજર રહેવા જણાવ્યું છે. જ્યા વડાપ્રધાન મોદીનું સંબોધન પ્રસારીત કરવામાં આવશે. આ સમયે રાજ્યસભાનું સત્ર હશે જેથી તેમણે લોકસભા સાસંદોનેજ ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ સિવાય દેશમાં ઘણી બધી જગ્યાઓ પર મોટી સ્ક્રીન લગાવામાં આવી છે. જ્યા પાર્ટીના કાર્યકર્તાઓ તેમનું સંબોધન સાંભળી શકશે.
પીએમ મોદીએ બજેટના વખાણ કર્યા
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને આ બજેટના વખાણ કરતા કહ્યું હતું કે આ બજેટ દ્વારા મોટા પ્રમાણમાં હવે રોકાણ થશે સાથેજ તેમણે કીધું કે વિકાસ પણ મોટા પ્રમાણમાં થશે જેથી લોકોને નોકરીઓ મળી રહેવાની પૂરી સંભવના છે. સાથેજ તેમણે કહ્યું કે સામાન્ય લોકોની પ્રતિક્રિયાને કારણે ભાજપે તેમની સેવા કરવાનો એક નવો સંકલ્પ આપ્યો છે.