ભાજપ દ્વારા પક્ષને મજબૂત બનાવવા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભાજપ ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા મુખર્જીની જ્યંતી પ્રસંગે વારાણસીમાં સદસ્યતા અભિયાન શરૂ કરશે. જેને લઈને PM નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીના પ્રવાસે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. તેમજ આ પ્રસંગે તેઓ 5 હજાર કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે. તો સાથે સાથે વારાણસી એરપોર્ટ પર લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે.
આ ઉપરાંત PM નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ અભિયાનની પણ શરૂઆત કરશે. નરેન્દ્ર મોદીએ ભાજપના દરેક કાર્યકર્તાઓને વૃક્ષારોપણને લઈને આહવાન કર્યુ છે. જેમાં તેમણે દરેક મતદાન કેન્દ્રો પર ઓછામાં ઓછા પાંચ વૃક્ષો લગાવવા કહ્યુ છે.