વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદી વારાણસીને 3382 કરોડની ભેટ આપશે. પીએમ મોદી અને સીએમ યોગીનું ડીરેકા હેલીપેડ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પહોંચી સાત દિવ્યાંગો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ વગેરેની જાણકારી લીધી. જ્યારે પીએમ મોદીએ વારાણસીના ડીએલડબ્લ્યુમાં ડીઝલથી ઇલેકટ્રિકમાં પરિવર્તિત દુનિયાના સૌથી પહેલા એન્જીનને લીલી ઝંડી આપી રવાના કર્યું.
ઉલ્લેખનીય છે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં છ કલાકથી વધારે સમય રોકાશે. આમ અહીં પીએમ મોદીના હસ્તે અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યસ કરવામાં આવ્યો. પીએમ મોદી સંત રવિદાસ મંદિરમાં માથુ ટેકવશે.
જ્યારે ઔઢેમાં જનસભાને સંબોધન કરશે. જ્યારે પીએમ મોદી મહામના પંડિત મદન મોહન માલવીય કેન્સર સંસ્થા સાથે ઘણી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. પીએમ મોદીની જનસભામાં અંદાજે બે લાખ લોકો ઉમટે તેવી શક્યતા છે.
પીએમ મોદીની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જેમા સમગ્ર શહેરમાં 18 એસપી 25 એએસપી 28 ડેપ્યુટી એસપી બે હજાર જેટલા પોલીસકર્મીઓ 12 કંપની પીએસી સહિત લગભગ 5 હજાર જેટલા સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.