કોરોના સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનને લઈને ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી રહી છે. દરેક વ્યક્તિ વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. PM મોદી પણ વેક્સીન પર સતત નજર રાખી રહ્યા છે. આ સંદર્ભે તેઓ આજે 3 વેક્સીન સેન્ટર્સ અમદાવાદ, પુના અને હૈદરાબાદની મુલાકાત લેશે અને વેક્સીન સંબંધિત તમામ માહિતી મેળવશે.
દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
PM મોદી લેશે 3 વેક્સીન સેન્ટર્સની મુલાકાત
પુના, હૈદરાબાદ અને અમદાવાદના પ્રવાસે PM મોદી
PM કાર્યાલય તરફથી કહેવાયું છે કે પીએમ મોદી આજે 3 કોરોના વેક્સીન સેન્ટર્સની મુલાકાત લેશે અને સાથે જ વૈજ્ઞાનિકોની સાથે ચર્ચા કરીને વેક્સીનની તૈયારીઓ અને સામે આવી રહેલી મુશ્કેલીઓને લઈને જાણકારી મેળવવાનો પ્રયાસ કરશે.
PM પ્રવાસને લઈને કરાઈ ટ્વિટ
પીએમ મોદીને લઈને પીએમઓ દ્વારા ટ્વીટ કરાયું છે અને તેમાં કહેવાયું છે કે PM મોદી શનિવારે વેક્સીનની તૈયારી અને બનાવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે 3 શહેરોની યાત્રાએ જશે. તેઓ અમદાવાદમાં ઝાયડસ કેડિલા પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુનામાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેશે.
Tomorrow, PM @narendramodi will embark on a 3 city visit to personally review the vaccine development & manufacturing process. He will visit the Zydus Biotech Park in Ahmedabad, Bharat Biotech in Hyderabad & Serum Institute of India in Pune.
PM મોદીના અમદાવાદના પ્રવાસને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદી અમદાવાદની દવા કંપની ઝાયડસ કેડિલાની મુલાકાત લેશે અને અહીં તૈયાર થઈ રહેલી વેક્સીનની જાણકારી મેળવશે. દવા કંપની ઝાયડસ કેડિલા અમદાવાદની પાસે ચાંગોદરમાં આવેલી છે. દવા બનાવતી કંપનીએ પહેલાં જાહેરાત કરી છે કે તેમની વેક્સીનનું પ્રથમ ટ્રાયલ પૂરું થયું છે અને ઓગસ્ટમાં બીજું ટ્રાયલ શરૂ કરાયું છે.