વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના બલાંગીરમાં કેટલીક પરિયોજનાઓનું ઉધ્ધાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ કેન્દ્રીય પ્રધાન ઘણા દિવસથી તૈયારીઓ કરી રહ્યાં હતા.
પીએમ મોદી દ્વારા પરિયોજનાઓનું ઉધ્ધાટન સમયે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ઉપસ્થિત રહેશે નહીં. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય સરકારના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કારણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમી ઓડિશાના બલાંગીરની મુલાકાત દરમિયાન આધારબૂત સંરચના વિકાસ સંપર્ક અને વેપારમાં સુવિધા પર અનેક પરિયોજનાઓનો પ્રારંભ કરાવશે. પીએમ મોદી ઝારસુગુડામાં મલ્ટી મોડલ લોજેસ્ટિક પાર્ક (એમએમએલપી) અને બલાંગીર-બિચુપાલી વચ્ચે નવી રેલ લાઇનનું ઉધ્ધાટન કરશે.
પીએમ મોદી ઉધ્ધાટન બાદ એક જનસભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે લોકસભા ચૂંટણીમાં પૂર્વી ભારતમાં બેઠકો જીતવા માટે પીએમ મોદીની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભાજપની સૌથી પ્રથમ નજર ઓડિશા પર છે. જેનું મુખ્ય કારણ એ છે કે અહીં લોકસભા ચૂંટણીની સાથે-સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનામાં ત્રણ વખત ઓડિશાની મુલાકાત લીધી છે.
ઓડિશામાં લોકસભાની 21 બેઠક છે. 2014 લોકસભા ચૂંટણીમાં ઓડિશામાં 20 બેઠક પર નવીન પટનાયક જ્યારે 1 બેઠક પર ભાજપની જીત થઇ હતી. જ્યારે એક અટકળ મુજબ 2014માં ભગવાન શિવની વારાણસી નગરીથી ચૂંટણી લડનારા પીએમ મોદી આ વખતે ઓડિશાના પુરી ખાતેથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.