વડાપ્રધાન ઈમ્ફાલમાં રૂ.160 કરોડના ખર્ચે નિર્માણ થનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. તેમજ કિઆમગેઈમાં 200 બેડની કોવિડ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે.
PM મોદી આજે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે
અગરતલામાં એરપોર્ટ પર બનેલા નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે.
શિલાન્યાસ બાદ મોદી જનસભાને સંબોધશે
PM Narendra Modi to visit Manipur and Tripura today. PM will inaugurate & lay the foundation stone of 22 developmental projects worth over Rs 4800 Cr in Imphal and will inaugurate the New Integrated Terminal Building at Maharaja Bir Bikram Airport in Agartala: PMO
PM મોદી આજે ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડથી વધુ કિંમતના વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે.
મણિપુર એ મ્યાનમારની સરહદે આવેલું એક સંવેદનશીલ ભારતીય રાજ્ય છે, જ્યાં આગામી અઢી મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દરમિયાન, આજે એટલે કે 4 જાન્યુઆરીએ પીએમ મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે. વડાપ્રધાન આજે ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડથી વધુની કિંમતની 22 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સિવાય પીએમ અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર બનેલા નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું
તાજેતરમાં એક રેલીને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે, અન્ય રાજકીય પક્ષોને ઈરાદો માત્ર વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો છે. તેઓ એ ભૂલી જાય છે કે, પીએમ મોદીની ટીકા કરતી વખતે તેઓ દેશની પણ ટીકા કરવા લાગે છે. તેઓ માત્ર ભ્રષ્ટાચાર અને કમિશન વિશે જ વિચારે છે. બીજી તરફ, અમારી પાસે ભારતને આગળ લઈ જવાનો વિઝન છે. ભાજપ બધાને સાથે લઈને ચાલે છે, પરંતુ તેઓ વંશવાદ અને પરિવારવાદ સાથે ચાલે છે.